→ 1935થી 1941 સુધીના ગાળામાં તેમણે સમાજવાદ અને સમાજવાદી પ્રવૃત્તિઓ અંગેની તાલીમ આપવા માટે અનેક શિબિરો યોજી.
→ 1942ની ‘હિંદ છોડો’ની ચળવળમાં તેમણે આગળ પડતો ભાગ લીધેલો.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓએ સવિનય કાનૂન ભંગ આંદોલન અને હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેમણે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં સતારા, નંદુરબાર અને મહાડ માં લોકશક્તિ આંદોલન ચલાવ્યું હતું. તે સમયે આ આંદોલન એટલું પ્રબળ બન્યું હતું કે સતારામાં સમાંતર સરકારનું ગઠન થયું હતું. આ કારણે તેમને સતારાના શેર અને સત્યાગ્રહના સિંહ જેવી ઉપાધિઓ મળી હતી.
→ તેઓ ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપક સભ્ય પણ બન્યા હતાં.
→ તેમણે કોમ્યુનલ ટ્રાઈ - એંગલ ઓફ ઈન્ડિયા (હિંદનો કોમી ત્રિકોણ) અને આઇડિયોલોજી એન્ડ પર્સપેક્ટિવ ઓફ સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા જેવા પ્રસિદ્ધ પુસ્તકો મળીને 100થી વધુ પુસ્તકો અને પેમ્ફલેટ લખ્યાં હતાં.
→ જીવનનાં અંતિમ દિવસોમાં તેઓ મહારાષ્ટ્રમાં બંધુતા અને સમતાના આધાર પર આદર્શ ગ્રામ નિર્માણના કાર્યમાં પ્રયત્નશીલ હતાં.
0 Comments