→ ગોંડલ રાજ્યની સ્થાપના રાજકોટ રાજ્યના સ્થાપક જાડેજા વિભોજીના પુત્ર મહેરામણના પુત્ર કુંભાજીએ કરી હતી. (ઈ.સ. 1658)
→ કુંભાજી પછી બારમા ક્રમે સંગ્રામસિંહજી 2જા ગોંડલના શાસક બન્યા હતા.
→ સંગ્રામસિંહજીનું 1869માં અવસાન થયું ત્યારે ભગવતસિંહજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. આથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું.
→ ઈ.સ. 1875માં નવ વર્ષની ઉંમરે ભગવતસિંહજીને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે દાખલ કરાયા હતા. ત્યાં તેમણે આઠ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું.
→ પાશ્ચાત્ય પદ્ધતિથી મેળવેલા શિક્ષણને અંતિમ સ્પર્શ આપવાના હેતુથી અને પાશ્ચાત્ય સંસ્થાઓનો પરિચય મેળવવાના હેતુથી ભગવતસિંહજીએ 1883માં યુરોપનો પ્રવાસ કર્યો હતો.
→ તેમણે ત્યાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, પેરિસ, બ્રસેલ્સ, હેમ્બર્ગ, મિલાન, વેનિસ, ફ્લોરેન્સ, રોમ, નેપલ્સ અને સ્વિત્ઝર્લેન્ડના કેટલાંક સ્થળોની મુલાકાત લીધી.
→ આ પ્રવાસની રોજબરોજની ડાયરી The Journal of a visit to England' તેમણે અંગ્રેજીમાં લખી હતી.
→ આ ડાયરી વાંચીને પણ તેમના વિચારો કેટલાક ઉન્નત છે તે જાણી શકાય છે. તે સમયે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી.
→ 1887માં મહારાણી વિકટોરિયાના શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા રાજાઓના પ્રતિનિધિ તરીકે પસંદ કરીને ભગવતસિંહજીને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા.
→ આ સમયે મહારાણી વિકટોરિયાને હસ્તે તેમને KCIE (Knight Commander) નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
→ ભગવતસિંહજીને મળેલી શૈક્ષણિક પદવીઓ
વર્ષ
યુનિવર્સિટી
પદવી
1885
મુંબઈ
ફેલો
1887
એડિનબરો
LLD
1890
-
MRCPE-મેડિકલ પદવી
1890
-
MBCM-મેડિકલ પદવી
1892
ઓક્સફર્ડ
DCL (ડોક્ટર ઓફ સિવિલ લોઝ)
1895
એડિનબરો
MD
1895
એડિનબરો
ફેલો ઓફ ફિઝિશિયન
→ તેમણે પૂનાની ફર્ગ્યુસન કોલેજને રૂ. 22,500નું દાન આપ્યું હતું. તેની શરતો પ્રમાણે ગોંડલ રાજ્યના 10 વિદ્યાર્થીઓ વગર ફીએ ત્યાં ભણી શકતા હતા.
→ તેમણે ૧૮૯૭માં GCIEनનો ખિતાબ અપાયો. [GCIE - Knight Grand Commander)
→ મહારાણી વિક્ટોરિયાના હસ્તે અપાતા એવોર્ડની ત્રણ કેટેગરી હતી.
→
GCIE : Knight Grand Commander
KCIE : Knight Commander
CIE : Commander
ભગવતસિંહજીનું શાસન અને સુધારાઓ
→ ભગવતસિંહજીએ 1884માં રાજ્યનું સુકાન સંભાળ્યું અને 1944 સુધી એટલે કે 60 વર્ષ સુધી શાસન કર્યું.
→ આ 60 વર્ષમાં ગોંડલનું સર્વાંગી આધુનિકીકરણ થયું હતું. તેથી તેમને ગોંડલના આધુનિકીકરણના ઘડવૈયા કહેવામાં આવે છે.
→ તેમણે રાજવી તરીકેના જીવનમાં મોજશોખ કે વૈભવને સ્થાન આપ્યું ન હતું.
→ તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા અને પોતાને રાજ્યના ટ્રસ્ટી ગણાવતા હતા. આથી તેમણે શાસનના પ્રારંભથી લઈને 60 વર્ષ સુધીના શાસનકાળ દરમિયાન પોતાનું અંગત ખર્ચ રાજ્યની આવકના માત્ર 2% રાખ્યું હતું.
→ 1884ના રાજ્યાભિષેક સમયે ભગવતસિંહજીએ પોતાની પ્રજાને વચન આપતાં કહેલું કે મારી અંતરની ઈચ્છા છે કે
રાજ્યમાં ન્યાય, નીતિ અને સુવ્યવસ્થા ફેલાય.
જાન-માલ અને સાધન-સંપત્તિનું સારી રીતે રક્ષણ થાય.
ખેડૂતો પોતાની મહેનતનું ફળ ભોગવે.
વેપારીઓ તેમના ધંધામાં નફો મેળવે.
રસ્તાઓ સુધરે અને વ્યવહાર સરળ થાય.
કેળવણીને ઉત્તેજન મળે.
નિરાધાર અને દર્દીઓને રાહત મળે.
→ તેમના વહીવટનું તંત્રનું સૂત્ર હતું ; 'પ્રજાનું કલ્યાણ'
→ ગોંડલ રાજ્યની મુખ્ય આવક જમીનવેરાની હતી.
→ ખેડૂતો ઉપરનું મહેસૂલ સરળ રહે અને ખેડૂતો આબાદ થાય તે માટે ભગવતસિંહજીએ 10, 20 કે 30 વર્ષે મહેસૂલની પુનઃ આકારણીના બદલે કાયમી વિઘોટી (મહેસૂલ)ની પ્રથા દાખલ કરી.
→ છપ્પનિયાના ભયંકર દુકાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો.
→ ખેતીના વિકાસ સાથે વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે પણ પગલાં લેવાયાં હતાં. રાજ્ય એ નાના-મોટા 50થી વધુ કર માફ કર્યા હતા.
ભગવદગોમંડલ
→ ગુજરાતી ભાષાના encyclopdia તરીકે ઓળખાતો આ શબ્દકોષ એ મહારાજા ભગવતસિંહજીનું સ્વપ્ન હતું.
→ તેમણે ઈ.સ. 1915ના અરસાથી નવા શબ્દોનો સંગ્રહ કરવાનું શરૂ કરેલું.
→ તેમણે ઈ.સ. 1928ની 1 ઓક્ટોબરે ભગવદગોમંડલ માટે ખાસ ઓફીસ શરૂ કરેલી.
→ 25 ઓગસ્ટ, 1944ના રોજ 902 પાનાનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો.
→ સમયાંતરે અન્ય અંકો પ્રકાશિત થતા રહ્યા.
→ છેલ્લો અને નવમો અંક 9 માર્ચ, 1955ના રોજ પ્રકાશિત થયો.
→ આ ગ્રંથોની કિંમત તે સમયે ₹545 હતી. પરંતુ રાજ્યાશ્રયને કારણે તે 146 મળતા હતા.
→ સૌરાષ્ટ્રમાં કોઈએ ટ્રામ જોઈ ન હતી. ત્યારે 1998-99માં ધોરાજીમાં ટ્રામ શરૂ કરાઈ હતી.
→ 1924માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ગોંડલમાં વીજળી આપી હતી.
→ 1895માં ભાયાતોના બાળકોના શિક્ષણ માટે ₹3 લાખના ખર્ચે ગોંડલમાં 'ગિરાસિયા કોલેજ' શરૂ કરી હતી.
→ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજા વડોદરાના સયાજીરાવ 3જા હતા પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં ફરજિયાત કન્યા કેળવણી શરૂ કરનાર ભગવતસિંહજી હતા.
→ ભગવતસિંહજીનાં પત્ની મહારાણી નંદકુંવરબા પણ ભણેલાં હતાં અને સમુદ્ર પાર કરીને પરદેશ જનાર ભારતની રાણીઓમાં તે સૌપ્રથમ હતાં.
→ 1885માં પોતાની પ્રજા માટે હરતીફરતી ડિસ્પેન્સરી (દવાખાનું) ખોલનાર તે ભારતભરમાં પ્રથમ રાજવી છે.
→ રાજકુટુંબમાંથી ઓઝલ (પડદા) પ્રથા બંધ કરાવી હતી.
→ તેમનું સૂત્ર હતું : 'ગોંડલ - સૌથી પ્રથમ
→ આ સૂત્રે જ ગોંડલને સુખી, સમૃદ્ધ, સુસંગઠિત અને આદર્શ રાજ્ય બનાવ્યું.
→ ઈ.સ. 1932માં કવિ ન્હાનાલાલે ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે 'બીજા રાજ્યો કયો નવો કર નાખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલ નરેશ કયો કર કાઢી નાખવો તેનો વિચાર કરે છે.'
0 Comments
Any suggestions, Please comment Below 👇