8 August | ઓગષ્ટ ક્રાંતિ દિવસ' " હિન્દ છોડો આંદોલન | Quit India Movement


ઓગષ્ટ ક્રાંતિ દિવસ' " હિન્દ છોડો આંદોલન

→ દર વર્ષે 8 ઓગસ્ટને ભારતીય ઈતિહાસમાં આઝાદીના છેલ્લા યુધ્ધની શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે.

→ 8 ઓગસ્ટ, 1942ના દિવસે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીએ “હિન્દ છોડો આંદોલન"નો પાયો નાખ્યો હતો.

→ આથી, આઝાદી બાદ 8 ઓગસ્ટને "ઓગષ્ટ ક્રાંતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

→ 8 ઓગસ્ટ, 1942ના રોજ મુંબઈના ગ્વાલિયા ટેન્ક મેદાનમાં યોજાયેલ કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ “હિન્દ છોડો આદોલન'ની ઘોષણા કરી હતી.

→ ગાંધીજીએ ગ્વાલિયા ટેન્કના મેદાનમાં તેમના પ્રવચનમાં ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું.

→ 8 ઓગષ્ટ, 194ના મધરાતે મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ અંગ્રેજોને ભારત છોડી જવાનો આદેશ આપ્યો અને જો અંગ્રેજોએ હિન્દ ન છોડે તો પ્રચંડ અહિંસક દેશવ્યાપી બળવો જગાવવાનો ઠરાવ કર્યો.

→ હિન્દ છોડો આંદોલનની શરૂઆતમાં 9 ઓગસ્ટ, 1942ના રોજ અંગ્રેજોએ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સરેદાર પટેલ જેવા કોંગ્રેસનાં મુખ્ય નેતાઓની ધરપકડ કરી હતી. તથા સુશ્રી સરોજીની નાયડુ સહિતના લોકોને આગાખાન પેલેસમાં નજરકેદ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય નેતાઓની ‘ઓપરેશન ઝીરો અવર' અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

→ પ્રમુખ નેતાઓને કેદ કર્યા એ વાત લોકોને માહિતી નહોતી તેથી સમગ્ર દેશમાં શહેરોમાં મુંબઈથી તાર દ્વારા "Pantaloon" કોડ શબ્દ એટલે Arrestની ખબર પહોંચાડવામાં આવી.

→ આ આંદોલન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં,બ્રિટિશ જિલ્લાઓ અને દેશ રાજ્યોમાં સર્વત્ર ફેલાયેલું હતું.

→ સભા સરઘસ અને હડતાળનો કાર્યક્રમ સામાન્ય રીતે બંધ રખાયો હતો.

→ આ સમયે શ્રી જયપ્રકાશ નારાયણ છૂપી રીતે આંદોલનનું સંચાલન કરતા હતા તેમણે નેપાળમાં આઝાદ રેડિયોનું ગઠન કર્યુ હતું.

→ મુંબઈમાં ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું.

→ સમગ્ર ભારતમાંથી લોકનેતાઓની ધરપકડ થતા આ આંદોલન સ્વયંભૂ બન્યું હતું.

→ દેશમાં સરઘસો, સભાઓ, હડતાલો વગેરે સામાન્ય બનાવો બન્યા હતા.

→ 9 ઓગષ્ટ, 1942ના રોજ 547 કોંગ્રેસીઓને જેલમાં પૂર્યા

→ અલ્હાબાદમાં આવેલું કોંગ્રેસના મુખ્ય મથક કબજે કર્યું અને "હરીજન"પત્ર પર પ્રતિબંધ મૂક્યો.

→ લડત દરમિયાન પોસ્ટ ઓફિસ, પોલીસચોકીઓ બાળવાની, રેલવેના તાર કાપવાની, પાટા ઉખેડવાની,સરકારી મિલકતોને આગ લગાડવાની, પત્થમારો કરી નુકસાન પહોચાડવાની અનેક પ્રકારની પ્રવૃત્તિ પ્રજા કરતી હતી.

→ 8 ઓગષ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં રવિશંકર મહારાજે વિદ્યાર્થીઓની સભા બોલાવી જેમાં લડતમાં ભાગ લેવા હાકલ કરી.

→ 9 ઓગષ્ટ, 1942ના રોજ 2000 વિદ્યાર્થીઓ તથા 200 વિદ્યાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી જેમાં સરઘસ કાઢવાનું નક્કી કર્યું.

→ 10 ઓગષ્ટ, 1942ના રોજ લો કોલેજ આગળના મેદાનમાંથી આ સરઘસ પસાર થઇ રહ્યું હતું, જે ભદ્રમાં આવેલા કોંગ્રેસ ભવન પાસે જવાનું હતું.

→ ગુજરાત કોલેજ નજીક પોલીસે ટીયર ગેસ છોડયું તેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર ઈંટો ફેંકી જે એક ગોરા અંગ્રેજને વાગી તેથી અમલદારે ગોળીબાર કરવાનો હુકમ કર્યો.

→ 9 ઓગસ્ટ, 1942ના રોજ ગુજરાત કોલેજના 18 વર્ષીય વિદ્યાર્થી શ્રી વિનોદ કિનારીવાલા કોલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહિદ બન્યા હતા. તેમની ગુજરાત કોલેજમાં રહેલી પ્રતિમાનું અનાવરણ શ્રી જયપ્રકાશ નારાયણે કર્યુ હતું.

→ શહીદ વિનોદ કિનોરીવાલા ની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે, 10 ઓગષ્ટે દર વર્ષે તેમની શ્રદ્ધાંજલી ઉજવાય છે.

→ આ ખાંભી પર "દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના" લખાણ કંડારાયેલું છે.

→ 9 ઓગષ્ટ, 1942ના રોજ ખાડિયા (અમદાવાદ)માં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા શહીદ થયા . તેઓ હિંદ છોડો આંદોલનના ગુજરાતનાં પ્રથમ શહીદ ગણાય છે.

→ 15 સપ્ટેમ્બર, 1942 ના દિવસની "વિદ્યાર્થીદિન" તરીકે ઉજવણી કરાઈ અને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

→ 16મી ઓગષ્ટે "રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિ" રમણીકલાલ શાહના પ્રમુખપણા નીચે રચાઈ.

→ ગુપ્ત "વિદ્યાર્થી પત્રિકા" નું પ્રકાશન ને શાળા -કોલેજો ઉપર ર્પેકેટિંગ ગોઠવાયું.

→ વાનરસેના પોલીસો તથા પોલીસચોકીઓ ઉપર પથ્થરમારો કરતી હતી.

→ અમદાવાદના વીજળીઘરને બોંબથી ઉડાવી દેવા પ્રયત્ન કરતાં નંદલાલ જોસી તથા નરહરિ રાવલ મરણ પામ્યા.

→ ઉમાભાઈ કડિયા ગોળીબારથી શાહિદ થયા.

→ લોહીથી સહી કરીને કે.જી. પ્રભુ, નંદાલાલ જોશી, હરિભાઈ હાયર, નારણભાઈ વગેરે 150 જેટલા યુવકો બોમ્બ પ્રવૃત્તિમાં જોડાયા હતા.

→ અમદાવાદ શહેરને જુદા-જુદા વિભાગોમાં વહેચીને લડતનું સંચાલન શહેરસૂબા, જયંતિભાઈ ઠાકોર કરતાં હતા.

→ પત્રિકા લખવાનું કામ ઉત્સવભાઈ પરિખ, ઉમાશંકર જોશી વગેરે કરતાં હતા.

→ અમદાવાદનાં નવજીવન પ્રેસ પર દરોડો પાડીને જપ્ત કરાયો.

→ અમદાવાદનાં 80,000 વિદ્યાર્થીઓએ 250 દિવસ હડતાળ પાડી, 27 માર્ચ 943 ના રોજ 16 વિદ્યાર્થી નેતાઓની ધરપકડ થઈ.

→ 1942માં અંગ્રેજોએન ભારતમાથી હાંકી કાઢવા માટેની ચળવળના નામકરણ માટે ક્રાંતિકારીઓએ ગાંધીજીને "Retreat,'Wihdraw', 'Get- Out' વગેરે જેવા નામોસૂચવ્યા હતા.

→ મુંબઈના તત્કાલિન મેયર યુસુફ મહેર અલીએ "Quit INdia - હિંદ છોડો" સ્લોગન સૂચવ્યું અને ગાંધીજીને ગમ્યું અને અપનાવ્યું હતું.

→ ભરૂચમાં છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ વગેરેએ સરકારને રંજડવાની પ્રવૃત્તિ કરી હતી.

→ અડાસ સ્ટેશન નજીક પ્રચારાર્થે નીકળેલા વડોદરાના વિદ્યાર્થીઓ ઉપર ગોળીબાર કરતાં બે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

→ ભાવનગરમાં ગુણવંતભાઈ પુરોહિત, જશુભાઈ મહેતા વગેરેએ તાર કાપવાની અને ટપાલ લૂંટવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી.

→ વડોદરામાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી.

→ ઓખા નજીક જાપાનીસ જાસૂસો ઊતર્યા અને પકડાયા હતા.

→ રાજકોટમાંથી ઉચ્છંગરાય ઢેબર, વજુભાઈ શુક્લ તતઃ ભાવનગરમાંથી સરદાર પૃથ્વીસિંહની ધરપકડ થયેલી.

→ ભાવનગરમાં દરબારગઢ ચોકમાં સભા ભરાતી હતી અને "જંગ આઝાદી પત્રિકા" સમાચાર માટે બહાર પડતી હતી.

→ ભીલ સેવા મંડળના 35 વિદ્યાર્થીઓએ અને 6 વિદ્યાર્થિનીઓને સરઘસ કાઢી ભાગ લેવા બદલ કેદની સજા કરાઇ હતી.

→ 1942ની લડત દરમ્યાન કસ્તુરબા અને મહાદેવભાઇ દેસાઇનું પુનાના "આગાખાન મહેલ"માં નજરકેદ દરમિયાન મૃત્યુ થયું હતું. આથી વ્યથિત થઈને ગાંધીજીએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા.

→ ગાંધીજીની તબીયત ખરાબ થતાં 6 મે, 1944ના રોજ ગાંધીજીને જેલમાંથી છોડી મૂક્યા.

→ આ આંદોલન વખતે લોર્ડ લિનલીથગોએ ચિત્તાગોંગમાં હવાઈ હુમલો કર્યો હતો.

→ જાપાન યુદ્ધમાં જોડાતાં સુભાષચંદ્ર બોઝે જર્મનીથી જાપાન જઈને ભારતીય સૈનિકોને "આઝાદ હિંદ ફોજ"માં ભરાતી કર્યા હતા. આ ફોજમા કેટલાક ગુજરાતી યુવાનો પણ હતા.

→ આમ, ગુજરાતે હિંસક અને અહિંસક બંને રીતે બ્રિટિશ સ્લ્તનતનો સામનો કરેલો.

→ 1942ના અંત ભાગમાં વ્યાપક નેળ "હિંદ છોડો" નું પ્રજાકીય આંકોલન આપોઆપ ધીમું પડી ગયું. તેમ છતાં આ આંદોલને બ્રિટિશ સલ્તનતને હચમચાવી મૂકી હતી.

→ અમદાવાદ, મુંબઈ, જમશેદપુરના મીલ મજૂરોએ હડતાલ પાડી હતી.

→ અમદાવાદની 75 કાપડની મિલો ના 1,40,000 જેટલા કામદારોએ 105 દિવસની લાંબી હડતાળ પાડી.

હિન્દ છોડો આંદોલનમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ‘અરૂણા અસફઅલી’ હતા.

→ હિન્દ છોડો આંદોલને અંગ્રેજ સરકારને પ્રતીત કરાવી દીધું કે ભારતમાં લાંબો સમય શાસન કરી શકાય નહિ.


નોંધ :
→ વર્ષ 1942માં કોંગ્રેસની વર્ધા બેઠકમાં હિન્દ છોડો આંદોલનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

→ સુશ્રી અરૂણા અસફ અલીને 'ગ્રાન્ડ ઓલ્ડ લેડી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ 'હિન્દ છોડો' અથવા ‘ભારત છોડો’ સૂત્ર શ્રી યુસુફ મહેરલી દ્વારા બેક'નું સુત્ર પણ તેમણે જ આપ્યું હતું.

→ ગ્વાલિયા ટેન્ક મેદાનને હાલમાં ‘ઓગસ્ટ ક્રાંતિ’ દીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

Post a Comment

0 Comments