મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા | Jivraj Narayan Mehta


ડૉ. જીવરાજ મહેતા



→ જન્મ : ૨૯ ઓગાષ્ટ, ૧૮૮૭

→ જન્મ સ્થળ : અમરેલી

→ મૃત્યુ : ૭ નવેમ્બર ૧૯૭૮

→ પિતાનું નામ : નારાયણભાઈ

→ માતાનું નામ : જનકબા

→ તમણે અભ્યાસ મુબઈમાં અને લંડનમાં તબીબી શિક્ષણનો અભ્યાસ કર્યો.

→ રાજકીય પક્ષ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ




→ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા હતા.

→ ઈ.સ. ૧૯૧૫ માં મુબઈમાં ડોક્ટર તરીકેની તાલીમ શરુ કરી.

→ ઈ.સ. ૧૯૧૯ માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા.

→ ઈ.સ. ૧૯૨૧ માં વડોદરામાં ચીફ મેડીકલ ઓફિસર તરીકે તેમની પસંદગી કરવામાં આવી.

→ ઈ.સ. 1925માં મુંબઈની શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના વડા અને પ્રખ્યાત કિંગ એડ્વર્ડ મેમૉરિયલ (K. E. M.) હૉસ્પિટલના ડીન નિમાયા.

→ ઈ.સ. 1926માં ડૉ. જીવરાજ મહેતાની માનવ્યપૂર્ણ કારકિર્દીને બિરદાવતાં મુંબઈ સરકારે ‘જસ્ટિસ ઑવ્ પીસ’ (જે. પી.) ઘોષિત કર્યા, જે બહુમાન 1930–32માં તેઓ મીઠાના સત્યાગ્રહમાં જોડાતાં સરકારે પાછું ખેંચી લીધું.











→ ઈ.સ. 1942માં યરવડા અને નાસિક જેલમાં ગયેલાં.

→ ઈ.સ. ૧૯૪૬માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસ ના ધારાસભ્ય બન્યા.

→ ઈ.સ. 1948માં વડોદરા રાજ્યના ભારત સરકાર સાથેના જોડાણ અંગેની કામગીરી કરવા સરદાર વલ્લભભાઈ પટેલે તેમને દીવાન તરીકે નીમ્યા.

→ ઈ.સ.1949માં મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના અને 1952માં નાણાવિભાગના મંત્રી રહ્યા.

→ ઈ.સ.1960માં 1 મેનાં રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તેઓ ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યાં.











કાર્યકાળ




1 મે, 1960 થી 19 સપ્ટેમ્બર, 1963

→ ઈ.સ ૧૯૬૧ માં “પંચાયતી રાજ” નો કાયદો ઘડવામાં આવ્યો અને તે કાયદાને અમલમાં ૧ એપ્રિલ, ૧૯૬૩ થી શરુ કરી દેવામાં આવ્યો.

→ ઈ.સ ૧૯૬૨ માં ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી થતાં કોંગેસને તેમાં ૧૩૨ બેઠકમાંથી ૧૧૩ બેઠકો મળી અને પુન: મુખ્યમંત્રીનાં પદે ચૂંટાઈના આવ્યા.

→ તેમના સમયમાં ગુજરાત સહકારી મંડળી વિધેયક, ફરજિયાત પ્ર્થમિક શિક્ષણ વિધેયક અને ગુજરાત યુનિવર્સિટી વિધેયક જેવા અગત્યના કાયદા ઘડવામાં આવ્યાં.

→ ડૉ. જીવરાજ મહેતાએ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.