માણસા સત્યાગ્રહ 1938 | Maṇasa Satyagraha 1938


માણસા સત્યાગ્રહ (1938)

→ જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ.

→ હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું.

→ માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો.

→ માણસા રાજ્ય દર દશ વર્ષે મહેસૂલની આકરણી કરતું હતું.

→ મહેસૂલમાં બે થી અઢી ગણો વધારો ઈ.સ. 1937માં કર્યો હતો.

→ રાજા લોકોને વેઠ પણ કરાવતા હતા તથા વિવિધ વેરાઓ પણ હતા.

→ તેથી લોકોએ મહેસૂલ ભરવા ના પાડી અને અસહકારની ચળવળમાં જોડાયા.

→ બળજબરીથી મહેસૂલ વસુલાતી તેથી લોકો હેરાન થઈને વડોદરા રાજયના મકાખાડ સ્ટેશને હિજરત કરીને વસવાટ કર્યો હતો.

→ દસક્રોઈ તાલુકા કોંગ્રેસ સમિતિને તેની ફરિયાદ કરતાં રવિશંકર મહરાજ દ્વારા તપાસ હાથ ધરાઇ અને લોકોની ફરિયાદમાં તથ્ય જણાતા 'ભાગબટાઈ પદ્ધતિ' દાખલ કરવા અથવા મહેસૂલ ઘટાડવા જણાવ્યુ.

→ પરંતુ માણસા રાજયના દિવાન ગિરધરલાલે તેનો ઈન્કાર કર્યો, એટલું જ નહિ પણ જપ્તિ, દંડ કે મારઝુડ પણ કરી.

જાન્યુઆરી, 1938 થી લોકોએ અસહકારની લડત શરૂ કરી.

→ સાદરા પોલિટિકલએંજટે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું અને મહેસૂલમાં ઘટાડો કરવામાં આવ્યો.

→ ખેડૂતો ઉપરના ગેરવાજબી કરવેરા નાબૂદ થયા અને મહેસૂલનો દર વડોદરા રાજ્ય અનુસાર ઠરાવવામાં આવ્યો.





Post a Comment

0 Comments