Ad Code

Responsive Advertisement

ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં.ચી.મહેતા) | Chandravadan Mehta

ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં.ચી.મહેતા)
ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં.ચી.મહેતા)

→ જન્મ : 6 એપ્રિલ, 1901 (સુરત)

→ અવસાન : 4 મે, 1991

→ પૂરું નામ : ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં.ચી.મહેતા)

→ ઉપનામ : ચાંદામામા

→ ગુજરાતી સાહિત્યના એક સમર્થ નાટ્યકાર, કવિ અને અવૈતનિક રંગભૂમિના આધપ્રવર્તક

→ ઇલાકાવ્યોથી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરનાર ચંદ્રવદન મહેતાએ નાટ્યક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે પ્રથમ કાવ્ય રત્ન આપ્યું હતું.

→ તેમણે વર્ષો સુધી આકાશવાણીમાં કામ કરી રેડિયો નાટક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.

→ તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમજ વર્ષ 1928માં નવભારતના સંપાદક પણ રહ્યા હતાં.

→ તેઓએ ગુજરાત સાહિત્ય પરિષદના અને ફાર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ તરીકે સેવા આપી હતી.

→ વર્ષ 1960માં UNESCO દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા (ITI- International Theatre Institute)ના વિયેના કોન્ફરન્સમાં તેમણે 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ (World Theatre Day) ઉજવવા માટેનો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવને મંજૂરી મળતા વર્ષ 1962થી 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

→ તેમનું આગગાડી નામનું ખૂબ જ લોકપ્રિય નાટકને વર્ષ 1936માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને વર્ષ 1942માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતાં તેમજ વર્ષ 1950માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

→ 1942–46નો નર્મદચંદ્રક

→ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1962) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ વર્ષ 1971માં તેમની કૃતિ નાટ્ય ગઠરિયાં માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

→ ઉમાશંકર જોશીએ નાટય ગઠરિયા માટે તેમને એક અલક મલકની ચીજ એમ કહીને સંબોધ્યા હતાં. તેમજ રઘુવીર ચૌધરીએ તેમના જીવન ઉપર ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું હતું.

→ તેમનું અંગ્રેજી પુસ્તક બિબ્લઓગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ : ભાગ 1, 2 નાટય સંશોધનનો ગ્રંથ છે. તેમણે તેમની કૃતિ આગગાડીનું અંગ્રેજી ભાષાંતર આર્યન રોડ તરીકે કર્યુ છે.

→ વર્ષ 1971માં તેમને ભારતની સંગીત નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને વર્ષ 1984માં સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.

→ નાટક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને ચં.ચી.મહેતા પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે.


સાહિત્ય સર્જન

→ આત્મકથા (ગઠરિયા શ્રેણી) : બાંધ ગઠરિયા (ભાગ 1–2, 1954), છોડ ગઠરિયા (1956), નાટ્ય ગઠરિયા, રંગ ગઠરિયા, સફર ગઠરિયાં, રૂપ ગઠરિયા, ધ્રુવ ગઠરિયા, ગાંઠ ગઠરિયા, અંતર ગઠરિયા, રેડિયો ગઠરિયા, ‘આખર ગઠરિયાં

→ નાટક : આગગાડી (1933), કપૂરનો દીવો, સોના વાટકડી, ધરા ગુર્જરી (1968),‘રમકડાંની દુકાન’ (1934), પ્રેમનું મોતી અને બીજા નાટકો (1937), ‘મૂગી સ્ત્રી’ (1937), શિખરિણી, અબોલા રાણી, પ્રેમનો અંત, અખો, નર્મદ (1937), અખો વરવહુ અને બીજા નાટકો, ‘નાગા બાવા’ (1937), ‘સંતાકૂકડી’ (1937), ‘સીતા’ (1943), ‘ધરાગુર્જરી’ (1944), ‘શિખરિણી’ (1946), ‘પાંજરાપોળ’ (1947), ‘શકુન્તલા અથવા કન્યાવિદાય’ (1949), ‘મેના-પોપટ અથવા હાથીઘોડા’ (1951), ‘રંગભંડાર’ (1953), ‘સોનાવાટકડી’ (1955), ‘માઝમ રાત’ (1955), ‘કિશોર નાટકો’, ભા. 1-2 (1956), ‘હોહોલિકા’ (1957), ‘કપૂરનો દીવો’ (1960), ‘પરમ માહેશ્વર’ (1960), ‘સતી’ (1960), ‘કરોળિયાનું જાળું’ (1961), ‘શેક્સપિયર ર્દશ્યાવલિ’ (1964), ‘મદીરા’ (મીડિયા) (1967), ‘પ્રેમનો તંત – ગાંધીજીના જીવન ઉપર રૂપકો’ (1970), ‘અંદર અંદર’ (1972), ‘અબોલા રાણી’ (1972), ‘ચન્દ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (1974), ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલ : સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય પર આધારિત રેડિયો-રૂપકોનો સંગ્રહ’ (1975), ‘અંતરબહિર અને બીજાં નાટકો’ (1975); ‘રંગલીલા’ (1977), ‘સાવિત્રી’ (1980), ‘તાપીતટે તાપીદાસ’ (અન્ય સાથે) (1983), ‘અદાવત વિનાની અદાલત’ (2000), ‘ચંદ્રવદન મહેતા : સમગ્ર નાટ્યકૃતિઓ’ : ભાગ : 1–4, (1989, સંપા. સુરેશ દલાલ);

→ 1935માં ‘આગગાડી’ નાટક અમદાવાદમાં ભજવાયું.

→ ‘બિબ્લિયૉગ્રાફી ઑવ્ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લૅંગ્વેજિસ’ (ભાગ 1–2, 1964, 1965) એમનો નાટ્યસૃષ્ટિનો એક મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે.

વાર્તાસંગ્રહો : ‘ખમ્મા બાપુ’ (1950) અને ‘વાતચકરાવો’ (1967)

સત્યકથાસંગ્રહ : ‘મંગલમયી’ (1975)

→ નાટ્યવિવેચન તેમજ સાહિત્યવિવેચનના ગ્રંથો : ‘કવિ શ્રી ન્હાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (1959), ‘લિરિક અને લગરિક’ (1965), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ (1974), ‘એકાંકી : ક્યારે, ક્યાં અને કેવાં’ (1975) ઉપરાંત ‘બીજા નાટ્યવિષયક લેખો’

નવલકથા : મંદાકિની (1987), ખમ્મા બાપુ (1950), જીવતી પૂતળીઓ, ‘ડૉન કિહોટે’ (અંગ્રેજી ઉપરથી અનુવાદ) (1964), ‘પરમ માહેશ્વરથી હે રામ’ (1987), ‘અંતરની આરપાર’ (1989), ‘એક દિવસની મહારાણી’ (અંગ્રેજી પરથી અનુવાદ) (2000)

બાળ સાહિત્યઃ રમકડાંની દુકાન, સંતાકૂકડી, ચાંદાપોળી , ‘મંગલત્રયી’ (1976)

કાવ્યસંગ્રહ: ઇલા કાવ્યો (1933), રતન (1937), ચાંદરણા (1935), દૂધના દાણા (1983), ચડો રે શિખર રાજા રામના, યમલ (1926), રૂડો રબારી (1940), ‘ઇલાકાવ્યો રતન અને બીજાં બધાં’ (ત્રીજી આવૃત્તિ, 1952), ‘નેવુના દાયકાનાં મારાં કાવ્યો’ (1991)

પ્રવાસ લેખો : ઇલિઝાબેથ બીજીની સફરે, ભમીએ ગુજરાતઃ ન વાટે, ન રેલપાટે

→ અન્યઃ દિવાળી (કાવ્ય), કલ્યાણ(કાવ્ય), ભવિષ્યવેતા(ઊર્મિ કાવ્ય), ભમીએ ગુજરાતેઃ દક્ષિણ ભણી, મૌન એ જ વિરતા (ચિંતન)

→ અંગ્રેજી પુસ્તકો : ‘Bibliography of Stageable Plays in Indian Languages’, Parts : I–II (1963, 1965), ‘Three Lighter Delights (Three Sanskrit Plays)’ (1969), ‘The Iron Road’ (Tr. from Ag-gadi) (1969), ‘Bibliography of English Plays Written by Indian Authors, Pts. : III’ (1969), ‘Harijan Ashram on Sabarmati’ (1970).

→ 1926માં ‘યમલ’ નામનો સૉનેટસંગ્રહ બલવંતરાયના પ્રવેશક સાથે પ્રગટ થયો. તેને ‘ગુજરાતી કવિતામાં પ્રથમ પહેલી સૉનેટમાળા’ તરીકે આવકાર મળ્યો.

→ તેમનાં હાસ્યરસિક નાટકોમાં મુખ્ય આનાતોલ ફ્રાંસના ફ્રેન્ચ નાટકના ઍશ્ર્લી ડ્યૂકે કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી રૂપાંતર ‘મૂગી સ્ત્રી’ (1927), સાક્ષરોની સાઠમારીને હાસ્યપાત્ર બનાવતું એકાંકી ‘દેડકાની પાંચશેરી’, ચોથા-પાંચમા દાયકામાં શાળા-કૉલેજમાં ખૂબ ખૂબ ભજવાઈને લોકપ્રિય થયેલું ‘ધારાસભા’, લગ્નની સંસ્થાને હચમચાવવા મથતું પ્રહસન ‘પાંજરાપોળ’ (1947), ભવાઈની મુક્તતાવાળી ફૅન્ટસી ‘મેના-પોપટ’ (1951), અને ભવાઈશૈલીનો સફળ વિનિયોગ દર્શાવતું ‘હોહોલિકા’ (1957) છે.


પંક્તિઓ


'ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે ! આ કાનના તો પડદા તૂટે છે. '


પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;

ભમો ભરતખંડમાં સફળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી

ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ

Post a Comment

0 Comments