સ્વામી આનંદ | Swami Anand | હિંમતલાલ દવે


હિંમતલાલ દવે

→ જન્મ : 8 સપ્ટેમ્બર, 1887 (શિયાણી, સુરેન્દ્રનગર)

→ પૂરું નામ : હિંમતલાલ રામચંદ્ર દવે

→ અવસાન : 25 જાન્યુઆરી 1976 (મુંબઈ)

→ બાળપણનું નામ : બચુ

→ ઉપનામ : અનાસકત, અપરિગ્રાહી, અલગારી સાહિત્યકાર, જ્ઞાની

→ નિબંધકાર, આધ્યાત્મિક, રાષ્ટ્રવાદી કવિ અને કોશકાર

→ તેમણે ભગવાન બુદ્ધના પરમ શિષ્ય આનંદ પરથી તેમનું નામ આનંદ રાખ્યું અને તેઓ સ્વામી આનંદ તરીકે ઓળખાવા લાગ્યાં.

→ સંન્યાસમાં કડવા અનુભવો થતા તેમણે નેપાળ પાસે માયાવતીમાં રામકૃષ્ણ મિશનમાં સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ઉત્તરાખંડના અલમોડામાં શિક્ષક તરીકે જોડાયાં હતાં.

→ તેઓ વર્ષ 1905માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતાં.

→ તેમણે મુંબઇમાં ખબરપત્રી અને ગૃહશિક્ષક તરીકેનું કાર્ય પણ કર્યું હતું.

→ તેઓ વર્ષ 1907માં લોક્માન્ય તિલકના કેસરી સામયિકના મુદ્રણકાર્યમાં જોડાયા હતાં તેમજ તેમણે લોક્માન્ય તિલકના પુસ્તક ગીતારહસ્યનો ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો.

→ તેમણે વર્ષ 1917માં નવજીવન અને યંગ ઇન્ડિયા માં સંપાદક તરીકે કાર્ય કર્યુ હતું. તેમણે ગાંધીજીને આત્મકથા લખવા માટે પ્રેરણા આપી હતી.

→ તેમણે 'ઇસુનું બલિદાન' શીર્ષકથી લેખમાળા લખીને સાહિત્ય લખવાનો પ્રારંભ કર્યો

→ વર્ષ 1922માં યંગ ઇન્ડિયા માં તેમના પ્રકાશિત લેખ માટે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ તેઓ વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ રહ્યાં હતાં.

→ તેઓએ વર્ષ 1930માં મુંબઇ મીઠાના સત્યાગ્રહમાં સક્રિય રીતે ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ તેમણે વર્ષ 1942માં હિન્દ છોડો ચળવળમાં ભૂગર્ભ પત્રિકાનું કામ સંભાળ્યું હતું.

→ તેમણે વર્ષ 1947માં પંજાબમાં હિન્દુ-મુસ્લિમ રમખાણોમાં નિર્વાસિતોની મદદ કરી હતી.

→ તેમના પુસ્તકોમાંથી પસંદ કરેલા લખાણોનો સંગ્રહ ધરતીની આરતી નામે પ્રગટ થાય છે. તેમજ તેમની કહેવતો અને રૂઢિપ્રયોગોનો સંગ્રહ જૂની મૂડી પ્રકાશિત કર્યો.

→ તેમને વર્ષ 1967માં તેમની કૃતિ કુળકથાઓ માટે દિલ્હી સાહિત્ય એકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે તેનો અસ્વીકાર કરતા કહ્યુ કે સાધુને વળી ઇનામ કેવા.




ચરિત્ર ગ્રંથો

→ સંતોનો ફાળો

→ કુળકથાઓ (૧૯૬૬) : ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક.
→ મોતને હંફાવનાર

→ સંતોના અનુજ

→ ગાંધીજીના સંસ્મરણો

→ ભગવાન બુદ્ધ

→ ધરતીનું લૂણ

→ નઘરોળ

→ ઝાકળ જેવા અણદીઠ


નિબંધ

→ ઈસુનું બલિદાન

→ ઇસોપનિષદ

→ નવલા દર્શન અને બીજા લેખો

→ માનવતાના વેરી

→ અનંતકાળ

→ આત્માના મૂળ

→ ઇસુભાગવત

→ સર્વોદય વિચારણા

→ લોકગંગા


અનુભવ પ્રસંગ

→ શોભા અને સૂશિમા





Post a Comment

0 Comments