→ 15 વર્ષની વયે માતા-પિતાનું અવસાન થતાં તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં અને આજીવન અવિવાહિત રહ્યા હતાં.
→ તેમની કર્મભૂમિ ડભોઇમાં હતી.
→ ડભોઇમાં તેઓ એક બાળ વિધવા સોનારણ રતનબાઇને ત્યાં રહેતા અને તેમણે પોતાનું છેલ્લું વસિયતનામું રતનબાઇના નામે કરેલું. તેઓ મધ્યકાળના એકમાત્ર અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર હતાં અને 12 ભાષાના જાણકાર હતાં.
→ તેમના જીવન પર વલ્લભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે.
→ બુંદીકોટાના ક્ષરકેશ મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમદાસજી મહારાજ તેમના કવિતા ગુરુ હતાં. કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો ત્યારથી તેઓ કૃષ્ણભક્ત થયા હતાં.
→ દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ તત્વપ્રબંધ લખી હતી.
→ સુપ્રસિદ્ધ કથાકાર અને વિદ્વાન એવા તેમના ગુરુ ઇચ્છારામ ભટ્ટ દ્વારા બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દ્રષ્ટિ ખુલી જશે આ ઉદ્ગારો દયારામ માટે ઉચ્ચારવામાં આવ્યા હતાં અને શ્રી કૃષ્ણ : શરણં મમ નામનો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો હતો.
→ દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિકવિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે નરસિંહ મહેતાને ભક્તકવિ તરીકે ઓળખવામાં આવે છે.
→ તેમના વિશે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કહ્યું હતું કે, દયારામ નિતાંત શૃંગાર કવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ
→ તેમણે કૃષ્ણભક્તિ વિશે મિત્રભાવે ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી હતી. આથી તેમને ગરબીના પિતા ગણવામાં આવે છે. તેમની ગરબીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
→ તેમણે ગુજરાતી ભાષામાં રેખતા સાહિત્ય સ્વ સ્વરૂપ આપ્યું છે.
→ આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાની રચના ભાલણે કરી, પરંતુ દયારામે કડવા ને બદલે મીઠાં શબ્દપ્રયોગ કર્યો હતો
→ તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ હતા, તેમના મૃત્યુ સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગનો અંત આવે છે.
→ તેમની પાસેથી કુલ 86 કૃતિઓ મળેલી છે. જેમાંથી 64 ગુજરાતી ભાષામાં, 20 વ્રજ ભાષામાં, 1 મરાઠી ભાષામાં અને 1 સંસ્કૃત ભાષામાં લખાયેલી છે.
0 Comments