ગુજરાતમાં ભૂકંપની અસર


ગુજરાતમાં ભૂકંપની અસરો






અલ્લાહબંધ



→ 16 જૂન, 1819 માં કચ્છમાં થયેલા 8.2 તીવ્રતાને ભૂકંપને લીધે હજારો લોકોનાં મૃત્યુ થયાં હતા.

→ આ સમયે 25 કિલોમીટર લંબાઇ અને 3 મીટર ઊંચાઈનો અલ્લાહબંધ રચાયો હતો.

→ આ ભૂકંપથી કચ્છના અખાતમાં આવેલું સીંદરી બંદર ડૂબી ગયું હતું.

→ સિંધુ નદીનો એક ફાંટો લખપતને હર્યોભર્યો બનાવતો હતો તે બંધ થઈ ગયો.

→ કોરીનાળ એ સિંધુ નદીનું લુપ્તમુખ છે.

→ સિંધુ નદીનું પાણી બદલાતાં કચ્છમાં પાણીનું સ્તર નીચું ગયું છે.


કચ્છમાં આવેલ ભૂકંપ



→ 26 જાન્યુઆરી, 2001 ના રોજ આવ્યો હતો.

→ આ ભૂકંપનું એપીસેંટર ભુજથી 20 કિલોમીટર દૂર ભચાઉના ધ્રાંગ ગામમાં હતું.

→ ભૂકંપની તીવ્રતા 7.6 /7.7 હતી.


ગુજરાત ફોલ્ટ લાઇન



→ કેમ્બે ગ્રેબન ઝોન એટ્લે ધરતીકંપની ભૂમિ (ઝોન 5) કચ્છથી ખંભાતના અખાત સુધી

→ ખંભાત ઝોન એ મહેસાણાથી રાજસ્થાન સુધી છે.

→ પશ્વિમ દરિયાકાંઠાનો ઝોન સુરતથી રત્નાગિરી (મહારાષ્ટ્ર) સુધી છે અહીં 2001 ના ભૂકંપ બાદ નાની ફોલ્ટ લાઇન બની ગઈ છે.

→ ધ્રાંગ ઝોનમાં કચ્છના મોટા રણનો સમાવેશ થાય છે.

→ હૈદરાબાદની જાણીતી સંસ્થા “નેશનલ જિઓફિઝીક્સ ઈન્સ્ટિટ્યૂટ” ને ગુજરાતનાં ત્રણ નબળા ભાગ (ફોલ્ટ લાઇન ) બતાવી છે.

→ ગુજરાતનાં ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચના 2013 ના રિપોર્ટ અનુસાર 2001 ના કચ્છના ભૂકંપ બાદ આફ્ટરશોક ચાલુ છે અને વગાડની ફોલ્ટ લાઇન સક્રિય બની.

→ 2007 બાદ સુરેન્દ્રનગર, જામનગર અને તલાલાની ફોલ્ટ લાઇન સક્રિય છે.


ગુજરાતનાં ભૂકંપના ઝોન





ઝોનજિલ્લા
ઝોન -2 મહીસાગર
ઝોન – 3 જૂનાગઢ, પોરબંદર, તળ ગુજરાત
ઝોન – 4 જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા
ઝોન – 5 કચ્છ જિલ્લો








Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments