Ad Code

Responsive Advertisement

તળગુજરાતનો દરિયા કિનારો | Tal-Gujratano Dariya Kinaro

→ ખંભાતથી લઈને છેક દક્ષિણમાં આવેલા વલસાડના ઉમરગામ સુધીના પટ્ટામાં આવેલા દરિયાઈ વિસ્તારને મધ્ય તથા દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારા તરીકે ઓળખવામાં આવે છે.
→ સાબરમતી, ઢાઢર, નર્મદા, કીમ, કોલક, તાપી જેવી નદીઓ અહીં દરિયાને મળતી હોવાથી અનેક ખડિયો અને ખાંચાખુચિવાળા દરિયા કિનારનું નિર્માણ થયું છે.
→ અહિયાં દરિયાના પાણી ફરી વળતાં ત્યની જમીનની ફળદ્રુપતા તથા ખરાબાની ક્ષારીય મેદાનોની રચના કરે છે જેને "ખારાપટના મેદાન" કહેવાય છે.
→ તળગુજરાતનાં દરિયાકિનારાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય છે.
→ મહીથી ઢાઢર નદી સુધી

→ દહેજથી હજીરા સુધી

→હજીરાથી ઉમરગામ સુધી

મહીથી ઢાઢર નદી સુધી


→ ખંભાતથી લઈને દહેજ વચ્ચે આવેલો દરિયાકિનારો જૂના કાંપથી રચાયેલો છે.

→ આ ભાગના દરિયાકિનારાનો બેઠી ચાર કિલોમીટર નો વિસ્તાર કાદવકિચડવાળો છે.

→ જૂના કાંપની કરાળવાળી જમીનનો દરિયાકિનારો જે કાંપના કારણે ઓછો ઉપયોગી છે.

→ મહીથી ઢાઢર વચ્ચેના ભાગમાં 30 મી. ઊંચી કાંપથી રચાયેલી કરડો આવેલી છે. જે સુવાલીની ટેકરીઓ નામે જાણીતી છે.

દહેજથી હજીરા સુધી


→ નર્મદા, કીમ, તાપી જેવી નદીઓના મુખ આ વિસ્તારમાં આવેલા છે.

→ આ નદીઓના મુખપ્રદેશમા ખરાબાની જમીન આવેલી છે.

→ નર્મદાનાં મુખપ્રદેશમાં "અલિયા બેટ ટાપુ" આવેલો છે.

→ અંકલેશ્વરના તેલક્ષેત્રના કારણે દહેજ અને હજીરા જેવા બંદરોનનો વિકાસ થયો છે.

→ દહેજ બંદર એ ભારતનું સૌથી મોટું અને એશિયાનું પ્રથમ કેમિકલ બંદર આ વિસ્તારમાં આવેલુ છે.

હજીરાથી ઉમરગામ સુધી


→ આ ભાગની દરિયાકિનારો ખૂબ જ સાંકળો છે.

→ આ વિસ્તારમાં તાપી નદીની નીચેનો ભાગ રેતાળ બિચ જેવો છે.

→ આ ભાગના દરિયાકિનારે મહત્વના સાગરીય રેતપટ આવેલા છે.

→ અગત્યના બીચ : ડુમસ (સુરત), ઉભરાટ (નવસારી), દાંડી(નવસારી), તીથલ(વલસાડ).

Post a Comment

0 Comments