Ad Code

Responsive Advertisement

નેશનલ વોર મેમોરિયલ

નેશનલ વોર મેમોરિયલ

ઉદ્ધાટન :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા.

સ્થળ :- ઇન્ડિયા ગેટ પાસે(૪૦ એકર જમીનમાં), રાજધાની દિલ્હીમાં.

ખાસ :- દેશનું પ્રથમ રાષ્ટ્રીય શહીદ સ્મારક.

રાષ્ટ્રીય વોર મેમોરિયલના ચીફ આર્કિટેક્ટ આર. યોગેશ ચંદ્રહસન છે.

દેશની રક્ષા માટે પોતાની જિંદગી આપનાર વીર શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું.

દેશ માટે કુરબાન થયેલ 25,924 થી વધારે શહીદોના નામ રાષ્ટ્રીય શહીદ સ્મારકની ઈંટોમાં કોતરાયેલ હશે.

મેમોરિયલની મધ્યમાં ૧૫ મીટર ઊંચો સ્મારક સ્થંભ હશે જેમાં ભીત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિઓ બનાવાઈ છે.

સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રિત છે જેમાં અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમાં ભૂમિ દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રધાંજલિ અપાઈ છે.

નેશનલ વોર મેમોરિયલ બનાવની સૌ પ્રથમ દરખાસ્ત 1960માં મુકવામાં આવી હતી.

નેશનલ વોર મેમોરિયલની બાજુમાં નેશનલ વોર મ્યુઝીયમ પણ બનશે.

આ પહેલા નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ધાટન 15મી ઓગસ્ટ 2018 માં કરવાનું હતું પણ તે સમયે તેમાં કાર્ય પૂરું નહિ થવાથી અટકી ગયું.

Post a Comment

0 Comments