મુખ્યમંત્રી : શ્રી કેશુભાઈ પટેલ





  • કેશુભાઈ પટેલનો જન્મ 14 જુલાઈ, 1930 ના રોજ રાજકોટમાં થયો હતો.

  • રાજકોટ શહેર સુધરાઈની ચુંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે ચુંટાઇને તેઓ વિરોધ પક્ષના નેતા બન્યા.

  • ઈ.સ. 1975 માં બાબુભાઈ પટેલ મંત્રીમંડળ માં સિંચાઈ અને કૃષિ મંત્રી બન્યા.

  • ઈ.સ. 1977 માં બાંધકામ ખાતાના મંત્રી બન્યા.

  • ઈ.સ. 1980 અને 1985 માં વિધાનસભામાં ભાજપના સભ્ય તરીકે ચુંટાયા.

  • ઈ.સ. 1990 માં ચીમનભાઈ પટેલની મિશ્ર સરકારના મંત્રીમંડળમાં નર્મદા જળસંપત્તિ ખાતાના મંત્રી બન્યા.

  • માર્ચ, 1995 ની ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ વાર ભાજપને ૧૮૨ માંથી ૧૨૧ બેઠકો મળતાં ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભાજપ પ્રથમ વાર સત્તામાં આવ્યો.

  • ખેતી માટે ૧૪ કલાક વીજળીની સુવિધા આપી.

  • એસટી બસના ભાડામાં 20% ની રાહત આપી.

  • વાર્ષિક રૂપિયા 7500 થી ઓછી આવક ધરાવતા અનુસુચિત જાતી અને જનજાતિ તથા બક્ષીપંચના પરિવારની લગ્ન માટે રૂપિયા ૫૦૦૦ સહાય આપતી કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુંકી

  • 21ઓક્ટોબર, 1995 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.


  • 4 માર્ચ, 1998 થી 7 ઓક્ટોબર, 2001

  • દસમી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 182 માંથી 117 બેઠકો મળતાં 4 માર્ચ, 1998ના રોજ કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

  • તેમના સમયમાં "ગોકુળ ગ્રામ યોજના" શરુ કરવમાં આવી.

  • 1 લી મે, 1998ના રોજ ગુજરાત સરકારની "વેબ સાઈટ" નો પ્રારંભ કરવામાં આવ્યો

  • તેમણે 7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.



  • _______________________***********_______________________