સ્ટેચ્યુ ઓફ હિન્દુભૂષણ : છત્રપતિ સંભાજી મહારાજની 180 ફૂટ ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ હિન્દુભૂષણ : છત્રપતિ સંભાજી મહારાજની 180 ફૂટ ઊંચી પ્રતિમા
→ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં પિંપરી–ચિંચવડના મોશી– બોર હેવાડી ખાતે છત્રપતિ સંભાજી મહારાજ ની પ્રતિમા નિર્માણ પામી રહી છે.
→ આ પ્રતિમાને ‘સ્ટે'ચ્યુ ઓફ હિન્દુભૂષણ' નામ આપવામાં આવ્યું છે.
→ છત્રપતિ સંભાજી મહારાજની આ કાંસ્ય પ્રતિમાની કુલ ઊંચાઈ 180 ફૂટ છે.
→ જેમાં 140 ફૂટની પ્રતિમા અને આધાર 40 ફૂટનો હશે.
→ આ સાથે તે ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજની વિશ્વની સૌથી ઊંચી પૂર્ણ-લંબાઈની પ્રતિમા હશે.
→ આ પ્રતિમા ઉપરાંત સંકુલમાં અન્ય મરાઠા નાયકોની પ્રતિમાઓ, ભીંતચિત્રો, એક ઓપન-એર થિયેટર અને એક હોલોગ્રાફીક હોલ પણ હશે.
→ આ ભવ્ય પ્રોજેક્ટ 'શંભુ સૃષ્ટિ' સ્મારક સંકલનો એ માં અન્ય નીચે મુજબના પ્રોજેક્ટ પણ હશે :
→
હંબિરરાવ મોહિતેની 10 ફૂટ ઊંચી પ્રતિમા
16 મરાઠા સરદારો અને માવલાઓની મૂર્તિઓ
ઐતિહાસિક મરાઠા દ્રશ્યો દર્શાવતા કાંસ્ય ભીંતચિત્રો
સાંસ્કૃતિક પ્રદર્શન માટે ખુલ્લું થિયેટર
સંભાજી મહારાજના જીવન પ્રવાસનું વર્ણન કરતો હોલોગ્રાફિક હોલ
→ આ પ્રતિમા મરાઠા બહાદુરીના કાયમી પ્રતિક તરીકે ડિઝાઈન કરવામાં આવી છે, જેની કલ્પના ધારાસભ્ય મહેશ લાંડગે દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
Source: ICE Rajkot
0 Comments