રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ | NATIONAL VOLUNTARY BLOOD DONATION DAY

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ | NATIONAL VOLUNTARY BLOOD DONATION DAY

→ દર વર્ષે 1 ઓકટોબરને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ (National Voluntary Blood Donation Day) તરીકે ઉજવવામાં આવે છે.

ઉદ્દેશ્ય : રકતદાનના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલીક જરૂરિયાત પૂરી પાડવાનો છે.

શરૂઆત : Indian Society of Blood Transfusion and Immunohematology દ્વારા વર્ષ 1975 માં 1 ઓકટોબરને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ રકત એ માનવજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. તે શરીરની વિવિધ પેશીઓ અને અવયવોમાં અગત્યનું પોષણ પુરૂ પાડે છે.

→ 18-60 વર્ષના સ્વસ્થ વ્યકિત જેનું વજન 45 કિલો કે તેથી વધુ હોય તેમજ હિમોગ્લોબીન 12.5 ગ્રામ કે તેથી વધુ હોય તે વ્યકિત રકતદાન કરી શકે છે.

→ O (ઓ) રુધિરજૂથ ધરાવતા વ્યક્તિને સર્વદાતા કહે છે અને AB+ રૂધિરજૂથ ધરાવતા વ્યકિતને સર્વગ્રાહી કહે છે.

→ 14 જુનને વિશ્વ રકતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments