Ad Code

ડૉ. ઝાકિર હુસૈન | Zakir Husain

ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ : ડૉ. ઝાકિર હુસૈન
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ : ડૉ. ઝાકિર હુસૈન

→ જન્મ : 8 ફેબ્રુઆરી, 1897 (હૈદરાબાદ)

→ અવસાન : 3 મે, 1969 (નવી દિલ્હી)

→ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ


→ તેઓ કેળવણીકાર, ઉમદા દેશભકત, ચુસ્ત ગાંધીવાદી, સરળ વહીવટકાર અને સરળ વ્યકિતત્વ ધરાવનાર વ્યક્તિ હતાં. તેમણે ભારતના શિક્ષણ ક્ષેત્રમાં નોંધનીય યોગદાન આપ્યું હતું.

→ તેઓ વર્ષ 1952માં રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

→ તેમણે વર્ષ 1956 થી 1958 સુધી યુનેસ્કોની કાર્યકારીણીમાં ભારતના પ્રતિનિધિ તરીકે કામ કર્યુ હતું.

→ તેઓએ વર્ષ 1957 થી 1962 સુધી બિહાર રાજયના રાજયપાલ તરીકે સેવા આપી હતી.

→ તેઓ વર્ષ 1962 થી 1967 દરમિયાન ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતાં.

→ વર્ષ 1967માં ભારતના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યાં હતાં.

→ તેઓ સૌથી ઓછા સમયગાળા માટે હોદ્દા પર રહેનારા રાષ્ટ્રપતિ હતાં.

→ તેમનું ચાલુ કાર્યકાળ દરમિયાન નિધન થયું હોય તેવા પ્રથમ રાષ્ટ્રપતિ હતાં.

→ આમ, તેમણે રાષ્ટપતિ, ઉપરરાષ્ટ્રપતિ અને રાજયપાલ એમ ત્રણ પદ શોભાવ્યા હતા.

→ તેમને વર્ષ 1954માં પદ્મવિભૂષણ અને વર્ષ 1963માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ તેમણે અંગ્રેજી ભાષામાં Capitalism અને Essay in Understanding તેમજ હિન્દી ભાષામાં શિક્ષા નામના પુસ્તકો લખ્યા લખ્યા હતાં.

→ તેઓએ 23 વર્ષની વયે દિલ્હી ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જે આજે જામિયા-મિલિયા યુનિવર્સિટી નામે ઓળખાય છે તેમજ વર્ષ 1948માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા હતાં.

→ તેમની સ્મૃતિમાં ભારત વિભાગ દ્વારા વર્ષ 1969માં બહાર પાડવામાં આવી હતી .

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments