Ad Code

પુષ્કર ચંદરવાકર | Pushkar Chanderwakar

પુષ્કર ચંદરવાકર
પુષ્કર ચંદરવાકર

→ જન્મ : 16 ફેબ્રુઆરી, 1921 (ચંદરવા, અમદાવાદ)

→ પિતા : પ્રભાશંકર ત્રિવેદી

→ માતા : દુર્ગા બહેન

→ અવસાન : 16 ઓગસ્ટ, 1995 (અમદાવાદ)

→ ગુજરાતના જાણીતા સાહિત્યકાર


→ ગુજરાતી લોકસાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી પછીનું સ્થાન શોભાવનાર સાહિત્યકાર અને લોકસાહિત્યના સંશોધક એવા પુષ્કર ચંદરવાકરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારનું લોકસાહિત્ય રચ્યું છે.

→ તેઓ ગામના નામને અટક તરીકે ધારણ કરી ચંદરવાકર બન્યા હતા.

→ તેઓએ પૂષ્પજન્ય અને સુધીર ઘોષ ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું હતું.

→ તેમની નવલકથાઓમાં પઢાર અને કોળી જેવી કોમના રીત-રિવાજ અને વ્યવહારનું નિરૂપણ જોવા મળે છે.

→ તેમને વર્ષ 1945માં સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ કુમાર સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


સાહિત્ય સર્જન

→ નવલકથા : રોક હૈયાનાં, પ્રિયદર્શીની, ઘરજ્યોત, નંદવાયેલા હૈયાં, બાવડાના બળે, ભવની કમાણી, માનવીનો માળો, ધૂળ અને ઢેફાં, લીલુડાં લેજો, નવા ચીલે, ધરતી ભાર શે ઝીલશે ?(ભાગ 1 અને 3), ઝાંઝવાના નીર (ભાગ 1 અને 2), ગીર અમારી છે!

→ નવલિકા : રાંકના રતન, બાંધણી, અંતરદીપ, શુકનવંતી

→ એકાંકી : યજ્ઞ, પિયરનો પાડોશી, સહકારમાં

→ વિવેચન : ધરતી ફોરે ફોરે, રસામૃત, લોકામૃત, સાહિત્યકાર અને યુગધર્મ, અસ્તિત્વવાદ, પઢાર : એક અધ્યયન (જ્ઞાતિગ્રંથ)

→ લોકગીત સંગ્રહ : નવો હલકો, ચંદર ઊગ્યે ચાલવું, વાગે રૂડી વાંસળી

→ લોકવાર્તા સંગ્રહઃ ખેતરનો ખેડુ, સોંપ્યા તુજને શીશ


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments