→ તેમણે ઓગસ્ટ 1822માં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે વર્ષ 1836માં બોમ્બે નેટિવ ડિસ્પેન્ચરી ની સ્થાપના કરી હતી.
→ તેઓ મુંબઈમાં રેલવે નાંખવાની સૌપ્રથમ હિમાયત કરનારા ભારતીય પૈકીના એક હતાં. તેઓ આરબો અને અફઘાન સાથે વેપાર કરીને પુષ્કળ ધન કમાયા હતાં. આ પુષ્કળ ધનનો ઉપયોગ તેમણે પ્રજાકલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો હતો.
→ તેમણે વર્ષ 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો.
→ તેઓ વર્ષ 1861ના કાયદા પછી રચાયેલા લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ બોમ્બેમાં નિયુક્ત થનાર પ્રથમ ભારતીય હતાં.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1991માં સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમની સ્મૃતિમાં માર્ચ, 2020માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને નાના શંકરશેઠ ટર્મિનસ કરવાની જાહેરાત કરવામ જાહેરાત કરવામાં આવી હતી.
0 Comments