વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)

વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)
વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)

→ ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

→ ફ્રાન્સની 'ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન' અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ‘ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા' દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે.

→ આ અંતર્ગત સૌપ્રથમ વર્ષ 2010માં પ્રથમ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

→ ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના શ્રી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ ‘નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા'ની સ્થાપના કરી હતી.

→ પર્યાવરણના સંરક્ષણ માટે 'નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા' દ્વારા 20 માર્ચ, 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી 'ચકલી એવોર્ડ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

→ 2023ની થીમ : “I Love Sparrows”

કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે કે, “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day) ઉજવવામાં આવે છે.

→ ચકલી તથા અન્ય પક્ષીઓની ઘટતી જતી સંખ્યા સામે જાગૃતતા ફેલાવી, તેમનું રક્ષણ કરવાનો અને તેની સંખ્યામાં વધારો કરવાનો છે.

→ સૌપ્રથમ વખત 20 માર્ચ, 2010ના રોજ વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવ્યો.

→ આ દિવસ ઉજવવાની પહેલ ફ્રાન્સના ઈકો-સિઝ એકશન ફાઉન્ડેશન અને નેચર ફોરેવર સોસાયટી (NFS)એ સાથે મળીને કરી હતી.

→ નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના પર્યાવરણીય નાયક તરીકે જાણીતા મોહમ્મદ દિલાવરે કરી હતી.

→ ચકલીનું વૈજ્ઞાનિક નામ Passer domesticus (પાસર ડોમેસ્ટિકસ) છે.

→ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી તેમજ બિહારનું રાજય પક્ષી ચકલી છે.

→ ચકલીઓની સંખ્યામાં ઘટાડાના કારણોમાં માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, પ્રદૂષણ, ઊંચા મોબાઇલ ટાવરો અને મકાનો તેમજ બગીચાઓના બાંધકામમાં ફેરફારનો સમાવેશ થાય છે.

→ આ ઉપરાંત મોબાઇલ અને ટેલિવિઝન જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોના રેડિયેશન પણ ચકલીના મોતનું કારણ બને છે.

→ ચકલીઓનું રક્ષણ કરવા અને આપણા જીવનમાં પાછા લાવવા માટે ઘણા પ્રેરણાદાયી પ્રયાસો થઈ રહ્યા છે. આવી જ એક પહેલ પર્યાવરણીય સંરક્ષણવાદી જગત કિંખાબવાલાના નેતૃત્વ હેઠળ "ચકલી બચાવો" અભિયાન છે. તેઓ વિકાસને પર્યાવરણીય સંરક્ષણ સાથે સંતુલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. વર્ષ 2017 માં આ અભિયાન માટે પીએમ મોદીના સમર્થનથી જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

→ નેચર ફોરેસ્ટ સોસાયટીએ 20 માર્ચ, 2011 થી ગુજરાતનાં અમદાવાદમાં પ્રથમ સ્પેરો અવોર્ડની સ્થાપના કરી હતી.

"તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું
મારે કળીએ ચકલી બેસે તે મારું રજવાડું, -રમેશ પારેખ

Post a Comment

0 Comments