ન્હાનાલાલ

ન્હાનાલાલ દલપતરામ કવિ
ન્હાનાલાલ દલપતરામ કવિ

→ જન્મ : માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો.

→ અવસાન : જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ

→ પિતા : દલપતરામ

→ માતા : રેવાબા

→ વખણાતું સાહિત્ય : ડોલનશૈલી

→ ઉપનામ/તખલ્લુસ : ગુજરાતના કવિવર,ડોલનશૈલીના પિતા,પ્રેમભક્તિ,કવિસમ્રાટ,શ્રેષ્ઠ રસકવિ,પ્રફુલ અમીવર્ષણ,ચંદ્રરાજ,તેજે ઘડેલા શબ્દના સર્જક


અભ્યાસ

→ 1893 – મેટ્રિક (અમદાવાદ)

→ 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ

→ 1901 – એમ.એ. – ઇતિહાસ સાથે (પૂના, મુંબઇ)


વ્યવસાય

→ 1902- 04 : સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક

→ 1904- 18 : રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.

→ અમુક સમય સુધી તેઓ રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન

→ 1918 : કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી

→ 1919 : માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી.

→ 1920 : માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું.

સન્માન

→ માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

કૃતિઓ


કવિતા

→ વસંતોત્સવ (ડોલનશૈલીમાં લખાયેલી તેમની પ્રથમ કૃતિ)

→ ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫)

→ ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭)

→ ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬)

→ પ્રેમભકિત ભજનાવલી

→ ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧)

→ ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧)

→ ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪)

→ ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧)

→ ‘બાળકાવ્યો’ (૧૯૩૧)

→ ‘મહેરામણનાં મોતી’

→ ‘સોહાગણ’ (૧૯૪૦)

→ ‘પાનેતર’ (૧૯૪૧)

→ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩)


કાવ્ય

→ ગુજરાતનો તપસ્વી

→ શરદપૂનમ

→ વીરની વિદાય

→ સૌરાષ્ટ્રનો સાધુ

→ કુલયોગિની


નાટ્ય કવિતા

→ ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨)

→ ‘પ્રેમકુંજ’ (૧૯૨૨)

→ ‘ગોપિકા’ (૧૯૩૫)

→ ‘પુણ્યકંથા’ (૧૯૩૭)

→ ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩)

→ ‘અજિત અને અજિતા’ (૧૯૫૨)

→ ‘અમરવેલ’ (૧૯૫૪)

→ ‘વિશ્વગીતા’ (૧૯૨૭)

→ ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨)

→ ‘જયા-જયન્ત’ (૧૯૧૪)

→ ‘શાહનશાહ અકબરશાહ’ (૧૯૩૦)

→ ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮)

→ સંઘમિત્રા’ (૧૯૩૧)

→ ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨)


નવલક્થા

→ ઉષા અને સારથી


વિવેચન

→ સાહિત્ય મંથન

→ આપણા સાક્ષરરત્નો

→ જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન


મહાકાવ્ય

→ કુરુક્ષેત્ર


ચરિત્ર

→ કવિશ્વર દલપતરામ (પિતા દલપતરામ ડાહ્યાલાલ તરવાડીનું જીવનચરિત્ર આલેખાયેલું છે)

અન્ય

→ હરિસંહિતા મહાકાવ્ય

→ વિરાટની હિંડોળો

→ પ્રાણેશ્વર

→ પિતૃતર્પણ

→ વિલાસની શોભા

→ હરિસંહિતા

→ પાખંડીઓ

→ ખમ્મા વીરાને

→ ન્હાનારાસ

→ તાજમહેલ

→ હરિના દર્શન (ભકિત ગીત)

→ ભરતગોત્રનાં લજ્જાચીર (વિશ્વગીતામાંથી)


→ ન્હાનાલાલે લેખનની શરૂઆત વસંતોત્સવ કાવ્ય દ્વારા કરી હતી. સૌપ્રથમ વાર ગુજરાતીમાં છંદ વિનાની: અછાંદસ ક્રુતિ આપી, જેને ‘ડોલનશૈલી’ થી ઓળખાય છે. તેને ડોલનશૈલીમાં પ્રથમ કાવ્ય વસંતોત્સવ લખ્યું છે. તેમણે જયાજયંત અને ઇન્દુકુમાર જેવા નાટકો લખ્યા છે. જે ડોલનશૈલી માટે જાણીતા છે. ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય લખ્યું છે.

Post a Comment

0 Comments