પંડિત બિરજુ મહારાજ | Birju Maharaj
પંડિત બિરજુ મહારાજ
પંડિત બિરજુ મહારાજ
→ જન્મ : 4 ફેબ્રુઆરી, 1938 (હંડિયા, ઉત્તરપ્રદેશ)
→ પિતા : જગન્નાથ મહારાજ
→ મૂળ નામ : બ્રિજમોહન મિશ્રા
→ અવસાન : 17 જાન્યુઆરી, 2022 (દિલ્હી)
→ કથક નૃત્યશૈલીનાં સૌથી લોકપ્રિય કલાકાર, શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક
→ તેઓ અચ્છન મહારાજ તરીકે જાણીતા હતા.
→ તેઓ જૂના લખનૌ ઘરાનાથી સંબધ ધરાવતા હતા.
→ તેમણે કથકની તાલીમ કાકા લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ પાસેથી લીધી હતી.
→ તેમણે નૃત્ય તથા નાટ્ય બંનેનું મિશ્રણ કરીને ગોવર્ધન લીલા, માખણ ચોરી, ફાગ બહાર વગેરે જેવી પ્રસંશનીય પ્રસ્તુતિઓની રચના કરી હતી.
→ તેમણે દેવદાસ, વિશ્વરૂપમ્, ડેઢ ઈશ્કિયા, ઉમરાવ જાન, બાજીરાવ મસ્તાની જેવી ઘણી ફિલ્મોમાં કોરીયોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું.
→ તેમણે વર્ષ 1998માં નવી દિલ્હી ખાતે કલાશ્રમ ની સ્થાપના કરી હતી.
પુરસ્કાર
→ વર્ષ 1964 : સંગીત નાટક અકાદમી એવોર્ડ
→ વર્ષ 1986 : પદ્મ વિભૂષણ પુરસ્કાર
→ વર્ષ 1987 : કાલિદાસ સન્માન
→ વર્ષ 2002 : લતા મંગેશકર પુરસ્કાર
→ વર્ષ 2012 : નેશનલ ફિલ્મ એવોર્ડ
→ વર્ષ 2016 : બેસ્ટ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ
0 Comments