રાષ્ટ્રીય મતદાર દિવસ (National Voters Day (NVD))


રાષ્ટ્રીય મતદાર દિવસ

→ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાર દિવસ'(National Voters Day)ની ઉજવણી કરવામાં આવે છે.

→ આ ઉજવણીનો પ્રારંભ 25 જાન્યુઆરી, 2011ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાદેવી પાટિલે કરાવ્યો હતો.

→ ત્યારબાદ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ભારતમાં “રાષ્ટ્રીય મતદાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ રાષ્ટ્રીય મતદાર દિવસ'ની ઉજવણી કરવા પાછળ ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય વધુ મતદારો, ખાસ કરીને મતદારો બનાવવાનો છે.

→ આ દિવસે મતદાન પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ ફેલાવવામાં છે.

→ ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી એટલે આ તારીખની ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃકતા ફેલાવવાના હેતુથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



ભારતીય ચૂંટણી પંચ વિશે

→ રચના : 25 જાન્યુઆરી, 1950

→ ઉલ્લેખ : બંધારણમાં ભાગ-15 (અનુચ્છેદ 324 થી 329 )

→ મુખ્યમથક : નવી દિલ્હી

→ પ્રથમ ચૂંટણી કમિશ્નર : સુકુમાર સેન

→ પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશ્નર : શ્રીમતી વિ. એસ. રમાદેવી

→ પ્રથમ ચૂંટણી : 1951-52


થીમ

→ 2024માં મતદાર દિવસનું થીમ : ‘વોટિંગ જેવું કંઈ નથી, હું નિશ્ચિત રુપથી મત આપું છું’. (‘Nothing Like Voting, I Vote For sure’)





Post a Comment

0 Comments