→ ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ.
→ ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
→ અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં અમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
સમાજ સુધારણામાં યોગદાન
→ તેમના શિક્ષક દુર્ગારામ મહેતાજી હતાં, જેમની પ્રેરણાથી નર્મદે સમાજમાં સુધારાના બીજ રોપ્યા હતાં.
→ તેમણે 17 વર્ષની ઉંમરે મુંબઇમાં બુદ્ધિવર્ધક સભા (1851)ની સ્થાપના કરી હતી અને એકાદ વર્ષ જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક ચલાવ્યું હતું.
→ તેમણે સમાજ સુધારણા માટે વર્ષ 1854માં ડાંડિયો પાક્ષિક શરૂ કર્યું હતું.
→ તેમણે વર્ષ 1856માં તત્વશોધક સભાની તેમજ વર્ષ 1871માં સુરત પ્રજા સમાજની સ્થાપના કરી હતી.
→ તેમણે વિધવા પુન:વિવાહને પ્રાધાન્ય આપવા પોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું તેથી જ તેમને સમયમૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ નર્મદ જીવનમાં કોઇપણ બાબતે સમાધાન કરતા ન હતા તેમજ તેમને યોગ્ય ન લાગે એવી રુઢિઓનો તેઓ વિરોધ કરતાં હતાં. તેથી તેમના નામની આગળ વીરનું વિશેષણ લાગતું થઈ ગયું હતું.
→ ગુજરાતી સાહિત્યના વર્ષ 1850 થી 1885ના સમયગાળાને સુધારક યુગ / નર્મદ યુગ તરીકે ઓળખવામાં આવે છે.
સાહિત્ય ક્ષેત્રે યોગદાન
→ તેમણે 23 વર્ષની ઉંમરે સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી.
→ વિવિધ પધ સ્વરૂપો અને ગધ સ્વરૂપોમાં તેમણે કરેલી પહેલના કારણે તેમને અર્વાચીનોમાં આધ અને નવયુગના પ્રહરી તરીકે તેમજ સૌપ્રથમ મંડળી મળવાથી થતા લાભ નિબંધ લખ્યો હોવાથી તેમને ગધના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
→ તેમણે મહાકાવ્યની રચના માટે વીરવૃત્ત છંદની રચના કરી હતી તેમજ સજીવારોપણ અલંકાર પણ આપ્યો છે.
→ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલી રહી છે. આ સંસ્થા દ્વારા વર્ષ 1940થી દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે.
→ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક જયોતિન્દ્ર દવેને એનાયત કરવામાં આવ્યો હતો.
→ તેમણે મુંબઈમાં નાના મહેતા, બાળગોવિંદ મહેતા તેમજ સુરતમાં ઇચ્છા મહેતા, દુર્ગા મહેતા અને ફકીર મહેતા એમ જુદી જુદી શાળાઓમાં શિક્ષણ લીધું હતું.
→ નર્મદના પિતા મુંબઇમાં લહિયાનું કામ કરતા, તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈની એલિફસ્ટન્ટ ઈન્સ્ટિટયૂટમાં થયો હતો.
→ તેમણે વર્ષ 1852માં રાંદેર, સુરતની શાળામાં શિક્ષક તરીકે અને મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપી હતી.
→ નર્મદને તેમના મિત્રો લાલજી તરીકે બોલાવતા હતાં.
→ તેઓ વર્નાકયુલર સોસાયટીના અધ્યક્ષ તરીકે રહ્યાં હતાં.
→ વર્ષ 1965માં સુરત ખાતે સ્થપાયેલ 'દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી'ને નર્મદના નામ સાથે જોડી વર્ષ 2005માં નવું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કરવામાં આવેલું છે.
→ નર્મદનું ઘર સરસ્વતી મંદિર તરીકે ઓળખાય છે. ત્યાં ગુજરાત સરકાર દ્વારા મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે.
→ નર્મદના જન્મ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નર્મદની વિશેષતા ધરાવતી કૃતિ
→ સૌપ્રથમ ગુજરાતી આત્મકથા : મારી હકીકત (1866)
→ સૌપ્રથમ ગુજરાતી શબ્દકોષ: નર્મકોશ
→ સૌપ્રથમ ગુજરાતી નિબંધ : મંડળી મળવાથી થતાં લાભ
→ સૌપ્રથમ ગુજરાતી ચરિત્ર : કવિ ચરિત્ર
→ સૌપ્રથમ ગુજરાતી સાહિત્યનું સામાયિક : ડાંડિયો (1864)
→ નર્મદની પ્રતિજ્ઞા : હવે તારે ખોળે છઉ (1858)
→ પ્રથમ કાવ્ય : આત્મબોધ
→ યુગ મંત્ર : યા હોમ કરીને પડો ફતેહ છે આગે
→ કવિતાઓમાં જોવા મળતા મુખ્ય રસ : વીર અને શૃંગાર
→ ગુજરાતી સાહિત્યનુ સૌપ્રથમ દેશાભિમાન વિધાન : કલમને ખોળે છું.
→ ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
→ એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
→ એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦)
→ ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
→ ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે.
→ ‘રાજ્યરંગ’-ભા.૧, ૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.
પંક્તિઓ
→ જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત
→ છતરિયો હમે કા ના હોડિયે, પગરખા હમે કા પહેરિયે
→ આ તે શા તુજ હાલ સૂરત સોનાની મૂરત
→ દાસપણું કયાં સુધી ?
→ નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક
→ યથાશકિત રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી
→ વીર સત્યને રસિક ટકીપણું અરિ પણ ગાશે દિલથી ગાશે
→ આજ કરીશું, કાલ કરીશું,લંબાવો નહિ દહાડા; વિચાર કરતાં વિઘ્નો, વચમાં આવે આડા
→ સહુ ચલો જીતવાને જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે
→ આજ ઉઠીશં કાલે ઉઠીશું, લંબાવો નહીં દાહડા; વિચાર કરતા વિઘ્નો મોટા વચમાં આવે આડા
0 Comments