Ad Code

Responsive Advertisement

વિશ્વ સાઈકલ દિવસ - 3 જૂન

સંયુક્ત રાષ્ટ્ર સંઘની જનરલ અસેમ્બલી દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ પર્યાવરણના રક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે 03 જૂનના રોજ આ દિવસ ઊજવવાની જાહેરાત કરી હતી.


સૌપ્રથમ ઉજવણી : 3 જૂન, 2018


વિશ્વ સાઈકલ દિવસ મનાવવાની શરૂઆત અમેરિકાના મોન્ટગોમેરી કોલેજના પોફેસર લેસ્કેજ સીબીલ્સ્કિના એક ક્લાસમાં કરેલી.


હેતુ : રોજિંદા જીવનમાં સાઈકલ ઉપયોગ લોકપ્રિય બનાવવો તથા પરિવહનનું એક સસ્તું, સરળ સાધન, પ્રદૂષણ મુક્ત, વિશ્વાસપાત્ર અને પર્યાવરણીય દ્રષ્ટિએ ટકાઉ સાધનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.


સાઈકલના શોધક : કિર્કપેટ્રિક મેકમિલન


ગુજરાતમાં ગોંડલ નરેશ ભગતસિહજીના કાર્યકાળમાં સાઈકલ ચલાવવા માટે લાઈસન્સ લેવું પડતું હતું



સાઈકલ ચલાવવાના ફાયદા :
- સાઈકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.

- સાઈકલ ચલાવવાથી હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

- રોજ અડધો કલાક સાઈકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય રહે છે.

શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.

- સાઈકલ ચલાવવાથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે.

Post a Comment

0 Comments