જીલ્લો : મોરબી



    જીલ્લામથક :
    મોરબી

    જીલ્લાની રચના :
    ૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ રાજકોટ , સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લામાંથી મોરબી જીલ્લાની રચના કરવામાં આવી હતી.

    જીલ્લાની સીમા :
    પૂર્વ: સુરેન્દ્રનગર જીલ્લો
    પશ્વિમ : જામનગર જીલ્લો અને કચ્છનો અખાત
    ઉત્તર : કચ્છનું નાનું રણ
    દક્ષિણ : રાજકોટ જીલ્લો

    ક્ષેત્રફળ :
    ૪૮૭૧ ચો.કિ.મી.

    તાલુકાઓ :
    મોરબી, માળિયા-મિયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ

    વિશેષતા :
    મોરબી “મેંગલોરી નળિયા” અને “ઘડિયાળ ઉદ્યોગ” માટે પ્રખ્યાત છે.
    નવલખી મોરબી જીલ્લાનું એકમાત્ર બંદર છે.

    નદીઓ:
    મચ્છુ, બ્રહ્માણી, મહા અને ડેમી

    નદીકિનારે વસેલાં શહેર :
    મોરબી, વાંકાનેર અને માળિયા

    બંદર :
    નવલખી

    સિંચાઈ યોજના :
    મોરબી પાસે જોધપુરમાં મચ્છુ નદી પર મચ્છુ બંધ બાંધવામાં આવ્યો છે.

    પાક :
    મગફળી, કપાસ, બાજરી, જુવાર વગેરે પાક થાય છે.

    અભયારણ્ય :
    રામપરા અભયારણ્ય જે વાંકાનેર તાલુકામાં આવેલું છે.

    ખનીજ:
    ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી મળી આવે છે.

    ઉદ્યોગો :
    મોરબીમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
    ચિનાઈ માટીનાં વાસણો બનાવવાની “પરશુરામ પોટરી” મોરબીમાં આવેલી છે.
    મોરબીં અને વાંકાનેર મેંગલોરી નળીયાના ઉદ્યોગ માટે જાણીતા છે.

    રાષ્ટ્રીય ધોરી માર્ગ :
    ૨૭ નવા નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.



    _______________________***********_______________________