Ad Code

Responsive Advertisement

History : Maurya Yuga Question & Answer | મૌર્યયુગ

Question & ANswer
Question & ANswer


મૌર્યયુગ

  1. ગુજરાતના ઈતિહાસની પ્રમાણિત માહિતી ક્યારથી મળે છે?
    ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયથી (ઈ.સ.322-298) અથવા મૌર્ય કાળથી

  2. જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા?
    → સ્થુલિભદ્ર

  3. ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ્ય દક્ષિણમાં કયાં સુધી વિસ્તરેલું હતું?
    → તાપી નદી સુધી

  4. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સુરાષ્ટ્ર(સૌરાષ્ટ્ર)ના રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ કોણ હતા?
    → પુષ્યગુપ્ત વૈશ્ય

  5. જૂનાગઢ નજીક બોરિયા ખીણ પાસે આવેલ બૌદ્ધ સ્તુપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે?
    → બડી લાખાની મેડી

  6. 'સંપ્રતિની ટૂંક' કયાં આવેલી છે?
    → ગિરનાર પર મહાવીર મંદિરની પાસે

  7. અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું ?
    → કલિંગ યુદ્ધ, ઈ.સ.પૂર્વે 261

  8. સમ્રાટ અશોકનું શાસન કયારે હતું?
    → ઈ.પૂ.269 થી ઈ.પૂ.235

  9. ચંદ્રગુપ્ત મૌર્ય કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી ?
    → કૌટિલ્ય (ચાણકય)

  10. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
    → ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્તે

  11. મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે ?
    → ઈન્ડિકા

  12. મૌર્ય સામ્રાજ્યના શિલાલેખો કયા સ્થળોમાંથી મળી આવેલ છે?
    → લુમ્બિની, રૂપનાથ અને સારનાથ

  13. અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયાં આવેલો છે ?
    → જૂનાગઢ, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે

  14. જૂનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ત્રીજી સદીમાં કયા સામ્રાજયના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો?
    → મૌર્ય

  15. બિંદુસાર કોનો પુત્ર હતો?
    → ચંદ્રગુપ્ત મૌર્ય

  16. મૌર્ય રાજા અશોકના સમયમાં સુરાષ્ટ્રનો સૂબો (રાજ્યપાલ) કોણ હતા ?
    → તુષાષ્ક



Post a Comment

0 Comments