Ad Code

Responsive Advertisement

પ્રારંભિક ઐતિહાસિક કાળ (અનુશ્રુતિ) | Early Historical Period (Anushruti)

પ્રારંભિક ઐતિહાસિક કાળ (અનુશ્રુતિ)
પ્રારંભિક ઐતિહાસિક કાળ (અનુશ્રુતિ)

  1. પૌરાણિક અનુશ્રુતિ મુજબ આનર્ત કોણ હતો?
    → મનુના પૌત્ર અને શર્યાતિનો પુત્ર

  2. 'આનર્ત' જેના નામ પરથી ગુજરાતને 'આનર્ત પ્રદેશ' કહેવાતો હતો તે કોનો પુત્ર હતો?
    → શર્યાતિ

  3. 'આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી?
    → કુશસ્થલી (દ્વારકા)

  4. વેરાન કુશસ્થલીની જગ્યાએ દ્વારાવતી નગર કોણે વસાવ્યું?
    → શ્રી કૃષ્ણે

  5. કુશસ્થલી (દ્વારકા)માં આવેલ બે દ્વાર કયા ?
    → મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર

  6. સમુદ્રમગ્ન દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે ?
    → ડૉ. એસ. આર. રાવ

  7. યાદવોના અગ્રણી નેતા કોણ હતાં?
    → શ્રી કૃષ્ણ

  8. હાલ દ્વારકામાં આવેલ સાત માળનું જગત મંદિર કયારે બંધાયેલ છે?
    → 13 મી સદીમાં

  9. ગુજરાતના કયા મંદિરમાં ભગવાન કૃષ્ણની ચતુર્ભુજ મુર્તિ સ્થાપિત છે ?
    → દ્વારકા

  10. દ્વારકાધીશ મંદિર બીજા કયા નામે ઓળખાય છે ?
    → જગતમંદિર

  11. બેટ દ્વારકાનું પ્રાચીન નામ શું હતું ?
    → શંખોદ્વાર બેટ (દારૂકાવન)

  12. દ્વારકા મંદિરની વિશેષતા શું છે ?
    → 6 માળવાળું શિખર, 5 માળવાળા વિશાળ મંડપ, 60 સ્તંભો

  13. દ્વારકા કઈ નદીને કિનારે આવેલ છે ?
    → ગોમતી

  14. ગુજરાતમાં આવેલ સોમનાથ સિવાયનું બીજુ જ્યોતિર્લિંગ કયું?
    → દારૂકાવનમાં આવેલ નાગેશ્વર (આઠમું)

  15. ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન કયાં થયું?
    → ભાલકા (પ્રભાસ પાટણ)

  16. ભગવાન શ્રીકૃષ્ણનું દેહાવસાન કેવી રીતે થયું હતું ?
    → જરા નામના પારઘીનું તીર વાગવાથી

  17. અર્જુનને ઈન્દ્રપ્રસ્થ વસાવવા કોણે મદદ કરી હતી?
    → શ્રી કૃષ્ણ

  18. યાદવોનો અંત કયાં અને કઈ રીતે થયો?
    → પ્રભાસ પાટણમાં, એકબીજા સાથે અંદરો અંદર લડાઈને

  19. પૌરાણિક અનુશ્રુતિ મુજબ કલિયુગનો પ્રારંભ અથવા શ્રી કૃષ્ણનો . સમય કયો ગણાય છે?
    → ઈ.પૂ 3228

  20. પરશુરામે સમુદ્રકિનારે કયું નગર વસાવ્યું હતું?
    → સુર્પારક (સોપારા)

  21. શ્રીકૃષ્ણના પુત્ર કોણ હતા ?
    → પ્રધુમ્ન

  22. પ્રધુમ્નનો પુત્ર કોણ હતો?
    → અનિરુદ્ધ

  23. ગુજરાતી સાહિત્યમાં ઓખા(ઉષા) હરણનો પ્રસંગ કોની સાથે સંકળાયેલો છે?
    → શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણની પુત્રી ઉષા

  24. આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ક્યારે થયું હતું?
    → અનુક્રમે- ઈ.સ.પૂર્વે 483, ઈ.પૂ. 468

  25. અનુશ્રુતિઓ મુજબ ભાર્ગવોની ભૂમિ કઈ ગણાય છે?
    → નર્મદા કાંઠે ભૃગુકચ્છ (ભરૂચ)

  26. જૈન અનુશ્રુતિઓ મુજબ નેમિનાથ કેટલામાં તીર્થંકર ગણાય છે?
    → 22 મા

  27. સિંહલ સંસ્કૃતિ જે શ્રીલંકામાં આવેલી છે તેનો વિકાસ કોણે કર્યો હતો?
    → સિંહબાહુના પુત્ર વિજયે

  28. 'લંકાની લાડી ને ઘોઘાનો વર' કહેવત કોની સાથે સંકળાયેલી છે?
    → સિંહપુર(સિહોર)-ઘોઘા નજીકના રાજા સિંહબાહુના પુત્ર વિજય

  29. યાદવોએ કુશસ્થલી નવનિર્માણ કર્યુ, તે કયા નામે ઓળખવામાં આવી?
    → દ્વારાવતી

  30. ગિરનાર પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો ?
    → ઊજર્જયંત

  31. કૃષ્ણ અવતાર કયા યુગમાં થયો હોવાનું માનવામાં આવે છે ?
    → દ્વાપર યુગ

  32. 'કલ્કાચાર્ય કથા' ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?
    → જૈન

  33. બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથની તપોભૂમિ કઈ ?
    → ગિરનાર

  34. કચ્છ, વલભી આનર્ત અને મહી નદીનું વર્ણન પાણિનીના કયા ગ્રંથમાં છે?
    → અષ્ટાધ્યાયી



Post a Comment

0 Comments