Ad Code

Responsive Advertisement

જીલ્લો : સાબરકાંઠા || Sabarkantha District


જીલ્લો : સાબરકાંઠા



→ સાબરકાંઠા જિલ્લાનું નામકરણ “સાબર” નદીના નામ પરથી કરવામાં આવ્યું છે.

જીલ્લામથક

→ હિંમતનગર

જીલ્લાની રચના

→ ૧ લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સાબરકાંઠા જીલ્લાની રચના કરવામાં આવી હતી.

જીલ્લાની સીમા

→ પૂર્વ : અરાવલી જીલ્લો
પશ્વિમ : મહેસાણા જીલ્લો અને બનાસકાંઠા જીલ્લો
ઉત્તર : રાજસ્થાન રાજ્ય
દક્ષિણ : ગાંધીનગર જીલ્લો

ક્ષેત્રફળ

→ 7394 ચો.કિ.મી.

R.T.O. વાહનનો રજીસ્ટ્રેશન નબર

→ GJ 09

તાલુકાઓ : 8

→ હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પ્રાંતિજ, વડાલી, તલોદ, પોશીના

નદીઓ

→ હાથમતી, હરણાવ, કોસંબી, ભીમાક્ષી, આકુલ, વ્યાકુલ, ગુહાઈ, મેશ્વો, માઝમ, ખારી, સાબરમતી નદી.

નદીકિનારે વસેલાં શહેર

→ હિંમતનગર જે હાથમતી નદીના કિનારે વસેલું છે.
→ ખેડબ્રહ્મા જે હરણવાવ નદીના કિનારે વસેલું છે.
→ સપ્તેશ્વર જે સાબરમતી નદીના કિનારે વસેલું છે.

સિંચાઈ યોજના

→ હરણાવ બંધ હરણાવ નદી પર ખેડબ્રહ્મા પાસે આવેલો છે.
  • હરણાવ બંધ હરણાવ નદી પર વણજ, વિજયનગર તાલુકા પાસે આવેલો છે.
  • ગુહાઈ બંધ જે ગુહાઈ નદી પર ખાંડીયાલ, હિંમતનગર તાલુકા પાસે આવેલો છે.

  • પાક

    → મગફળી, કપાસ, બાજરી, જુવાર, ડાંગર, ઘઉં, તલ, વરિયાળી, એરંડા વગેરે પાક થાય છે.

    ખનીજ

    → અરસોદીયા અને એકલારા માંથી ચિનાઈ માટી મળી આવે છે.

    ડેરી ઉદ્યોગ

    → સાબર ડેરી ( સ્થાપક : ભોળાભાઈ પટેલ) {હિંમતનગર}

    રાષ્ટ્રીય ધોરી માર્ગ

    → ૪૮ (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જીલ્લામાંથી પસાર થાય છે.

    વાવ :
    કાજી વાવ જે હિંમતનગરમાં આવેલી છે. તેની સ્થાપના ઇ.સ. 1522 માં મહોમદ બેગડાના સમયમાં થઈ.

    કુંડ

    → સપ્તેશ્વર મહાદેવ કુંડ જે સપ્તેશ્વરમાં આવેલો છે.
    પાતાળ કુંડ {ઈડર}

    તળાવ

    → હંસલેશ્વર તળાવ જે ઇડરમાં આવેલું છે.
    રણમલસર રાણી તળાવ જે ઇડરમાં આવેલું છે.

    લોકમેળો

    → ચિત્ર-વિચિત્રનો મેળો , ગુણભાખરી જે પોશીના તાલુકામાં મેળો ભરાય છે.
    મુધ્રુનેશ્વર (મુધ્રણેસ્વર) મહાદેવનો મેળો, જાદર જે ઇડર તાલુકામાં મેળો ભરાય છે.


    મહેલ

    → ઈડરિયો ગઢ (ઈડર)
    → રૂઠીરાણીનું માળિયું (ઈડર)
    → રાજમહેલ (હિંમતનગર)
    → દોલત વિલાસ પેલેસ (હિંમતનગર)


    ઈડર

    → “ઈડર સ્ટેટ” તરીકે ઓળખાતું હતું.
    → ઈડરમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો વેણી વત્સલા રાજાએ બંધાવેલો “ઈડરીયો ગઢ” અને “રૂઠી રાણીનું માળિયું” નામનો મહેલ જોલાયક છે.
    → અહીંની રાવ રણમલની રણમલ ચોકી (રણમલ છંદ) પણ જોવાલાયક છે.
    → ઈડરના લાકડાનાં રમકડાં વખણાય છે.
    → ચિનાઈ માટીનું એશિયા ખંડનું સૌથી મોટું ક્ષેત્ર "અરસોડીયા” જે સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે.
    → કુમારપાળે ઈડરિયાગઢ પર જવાના પગથીયાનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
    → અહીં રણમલસર તળાવ, સપ્તેશ્વર મહાદેવ કુંડ, હંસલેશ્વર તળાવ વગેરે આવેલા છે.







    હિંમતનગર

    → ઇ.સ 1426 માં નાસૂરીદ્દીન અહેમદશાહે હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું હતું. જેનું પાછળથી રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામા આવ્યું.
    → અહીં કાજીવાવ અને જામા મસ્જિદ જોવાલાયક છે.
    → "એશિયન ગ્રેનિટો લિમિટેડ" (AGL) નામની કંપની હિંમતનગરમાં આવેલી છે.
    → અહીં હાથમતી નદીના કિનારે દોલતવિલાસ પેલેસ મહારાજા હિંમતસિંહજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
    → અહીં સાબરડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલે કરી હતી.
    → સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રોડા (રાયસીંગપુર) ગામમાં રોડાના મંદિર આવેલા છે, જેમાથી એક પશુ-પક્ષીના મંદિર પણ આવેલું છે.
    → હિંમતનગર તેના લાકડાનાં રમકડાંની બનાવટ માટે જાણીતું છે.


    આકોદરા

    → સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામમાં ભારતની સર્વપ્રથમ "એનિમલ હોસ્ટેલ” આવેલી છે.
    → ભારતનું પ્રથમ ડિજિટલ ગામ આકોદરા છે.
    → આ ગામને ICICI બેંક દ્વારા ડિજિટલ વિલેજ બનાવવાવમાં આવ્યું છે.


    વડાલી

    → વડાલી ખાતેથી ઈ.સ. 1208, 1219 અને 1273ના શિલાલેખો મળી આવ્યા છે.
    → વડાલી (વલભીપુરની મુલાકાત વખતે) ખાતે ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે મુલકાત લીધી હતી તેમણે પોતાના પુસ્તકમાં વડાલી નો ઉલ્લેખ ઑ.ચચાલી તરીકે ઉલ્લેખ કર્યો છે.
    → સાબરકાંઠાની સંતનગરી એટલે વડાલી.


    ખેડબ્રહ્મા

    → ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે.
    → ખેડબ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. જે રાજસ્થાનના પુષ્કર સિવાયનું ભારતમાં બ્રહ્માજીનું બીજું મંદિર આવેલું છે.
    → ખેડબ્રહ્મામાં બ્રહ્માજીની ચતુર્મુખ મુર્તિ આવેલી છે. જેનાં લીધે તે “ખેડબ્રહ્મા” તરીકે ઓળખાયું.
    → ખેડબ્રહ્મામાં હિરણાક્ષી, ભીમાક્ષી અને કામાક્ષી એ ત્રણેય નદીઓનો ત્રિવેણી સંગમ આવેલો છે.
    → ખેડબ્રહ્મા “નાના અંબાજી” તરીકે ઓળખાય છે. જેને અંબાજી માતાનું મૂળ સ્થાનક માનવામાં આવે છે.
    → ખેડબ્રહ્માનો ડુંગર જાણીતો છે.
    → ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
    → ખેડબ્રહ્મા તાલુકાનાં ડુંગરી ભીલો ઝૂંપડાને “ખોલરું” કહે છે.


    પ્રાંતિજ

    → પ્રાંતિજ માંથી કર્કવૃત પસાર થાય છે.
    → પ્રાંતિજમાં ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા કોટયર્ક પ્રભુની ચતુર્ભુજ મુર્તિ આવેલી છે.
    → પ્રાંતિજમાં બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિરો આવેલા છે.
    → પ્રાંતિજમાં "સાબરગ્રામ વિદ્યાપીઠ" (સનોસણા) આવેલી છે.
    → સાબરમતી અને હાથમતી નદીનો સંગમ પ્રાતિજ પાસે થાય છે.


    વિજયનગર

    → વિજયનગર તાલુકાનાં પોળો ખાતે પોળોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યાં અનુમૈત્રક કાળમાં બંધાયેલા જૈનોના પ્રાચીન મંદિરો આવેલા છે.
    → પોળો ફોરેસ્ટ તરીકે ઓળખાતું આ સ્થળ રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.


    સપ્તેશ્વર

    → સાબરમતી નદી કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
    → એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યું છે.


    પોશીના

    → ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણી સંગમ થાય છે. સ્થાનિક લોકો આ સંગમ સ્થાનને “વિરેશ્વર” તરીકે ઓળખે છે.
    → હોળીના બે અઠવાડીયા પછી ચિત્ર- વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. તે “ગુણભાખરીના મેળા” તરીકે પણ ઓળખાય છે.
    → ચિત્રવીર્ય એન વિચિત્ર વીર્ય શાંતનુ રાજાના બે પુત્રો હતાં.
    → અહીં શ્વેતાંબર જૈનોના ચાર (4) મંદિરો આવેલા છે.


    બોલુંદ્રા

    → શિવના અવતાર તરીક પૂજાતા કાળભૈરવનું ગુજરાતનું એક માતા શિખરવાળું ઐતિહાસિક મંદિર આવેલું છે.


    વીરાંજલી વન

    → વીરાંજલી વન (સ્થાપના : 2017) સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનાં પાલદઢ વાવ ગામે આવેલ છે.