Niranjan Bhagat


નિરંજન ભગત

સહી

→ જન્મ : ૧૮ મે ૧૯૨૬ અમદાવાદમાં થયો હતો.
→ અવસાન : બ્રેઈન સ્ટ્રોકને કારણે પાંચ દિવસ હોસ્પિટલમાં વેન્ટિલેશન પર રહ્યા બાદ ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

શિક્ષણ

→ પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં
→ માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો.
→ ૧૯૪૪માં મૅટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લીધું.
→ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું અને ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય
→ ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ.ની પદવી મેળવી..

કારકિર્દી

→ ૧૯૫૦થી ૧૯૭૫ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા બાદ તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા.
→ ૧૯૫૭-૫૮માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક રહ્યા હતા.
→ ૧૯૭૭માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા.
→ ૧૯૭૮-૭૯માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા.
→ ૧૯૯૭-૯૮ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
→ ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા.






મુખ્ય રચનાઓ

→ કાવ્યસંગ્રહો – છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાસદ્વીપ ,
→ છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
→ વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
→ સ્વાધ્યાય લોક – અનેક ભાગ
→ અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
→ સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
→ ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
→ તંત્રી – ગ્રંથ, સાહિત્ય

પંક્તિઓ

→ હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યું એકે કામ તમારું કે મારૂ
→ ચલ મન મુંબઇ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી
→ ક્ષણ હસવું, ક્ષણ રડવું, પૃથ્વી વિણ ક્યાં જડવું
→ પાંચડે પાંચ, સાચનેય આંચ, એ થી ભળી મારી લાંચ
→ કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ
→ જોકે મને સૌ ફેરિયા કહે છતાં પણ હું ફરતો નથી.

પુરસ્કાર

૧૯૪૯ - કુમાર સુવર્ણ ચંદ્રક
૧૯૫૭ - નર્મદ ચંદ્રક
૧૯૬૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક
૧૯૯૮ - પ્રેમચંદ સુર્વણ ચંદ્રક
૧૯૯૯ - સાહિત્ય અકાદમી પુરસ્કાર
૨૦૦૦ - સચ્ચિદાનંદ સન્માન
૨૦૦૧ - નરસિંહ મહેતા પુરસ્કાર


Post a Comment

0 Comments