ગુજરાતી સાહિત્ય વિશે જાણવા જેવું

*ગુજરાતી સાહિત્ય વિશે જાણવા જેવું*


*💭 જાણવા જેવું 💭*


♦️ લિંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા.

♦️ ગંગાસતી અઢારમી સદીમાં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના વતની હતા, ગંગાબાઈ ગોહિલ રાજપુત, પોતના પુત્ર અજોભાતી પત્ની પુત્રવધૂ પાનબાઇને સંબોઘી પદો રચતાં હતાં.

♦️ હલ્લીસક ક્રિડા રાસ (એક પુરૂષ અને અનેક સ્ત્રીઓ હોય છે.)

♦️ ગરબી માત્ર પુરૂષોની રાસ છે.

♦️ ગરબો મોટાભાગે સ્ત્રીઓનો અને ક્યારેક સ્ત્રી-પુરૂષોનો રાસ છે.

♦️ કુલમંડનગણિનું રચેલું 'મુગ્ધાવબોધ ઓકિતક' ગુજરાતી ભાષામાં લખાયેલું સંસ્કૃત ભાષાનું સર્વપ્રથમ વ્યાકરણ પુસ્તક છે…

♦️ નરસિંહ મીરાની હારમાં ઊભો રહે તેવો જૈન કવિ *આનંદ ધનજી*

♦️ ભૂપૈન્દ્ર ત્રિવેદી એ 'અનુભવ બિંદુ'ને અખાની ઘડાયેલી કલમનું ફળ ગણાવી છે. અખાને હસતો કવિ ગણાવ્યો છે.

♦️ વલ્લભનો શણગારનો ગરબો ગુજરાતી કવિનું 'સૌંદર્યલહેરી સ્રોત' છે…

♦️ જેઠાલાલ ત્રિવેદી : નરસિંહ મહેતા વૈષ્ણવ હોવા છતાં વાડાબંધીથી મુકત છે.…

♦️ ભાલણ પોતે વાપરૈલી ભાષાને 'અપભ્રંસ' ગણાવે છે.

♦️ ‘ગુજરાત’ એવો નામ નિર્દેશ વસ્તુપાળ-તૈજપાળ રાસ માં જોવા મળે છે.

♦️ મહાદેવભાઈ દેસાઈ અખાને ગુજરાતનો 'સેમિનલ પોએટ' વીર્યવંત કવિ ગણે છે.

♦️ મધ્યકાલીન ગુજરાતનો કલાપી - દયારામ

♦️ ગુજરાતનો હાફિઝર અને બાયરન - દયારામ

♦️ નરસિંહ પોતાની ભાષાને "અપભ્રષ્ટગીરા' કહે છે.

♦️ ઈ.સ. 1200 થી 1500 સુધી માળવા રજપૂતાના ગુજરાતમાં એક જ ભાષા સ્વરૂપે પ્રચલિત હતું, જેને તેરિસ્તોરી જુની પશ્ચિમી રાજસ્થાન તરીકે ઓળખાય છે.

♦️ ગોવર્ધનરામ ઇ.સ. ના 11 માં શતકથી નરસિંહ મહેતાના આગમન સુધીના કાળને ગુજરાતી ભાષાને ગુજરાતી ગર્ભદશાનો કાળ કહે છે.

♦️ કવિ પદ્મનાભ તેના કાન્હડદે પ્રબંદ્યની ભાષાને પ્રાકૃત ભાષા ગણાવે છે.

♦️ કવિ ભાલણ તેના નળાખ્યાનવની ભાષાને ગુર્જર  ભાષા ગણાવે છે.

♦️ પ્રેમાનંદ તેની ભાષાને ગુજરાતી ભાષા ગણાવે છે.

♦️ અખો નામના નાટકની રચના - ચંદ્રવદન ચીમનલાલ મહેતા

♦️ જીવણ સાહેબ (દાસી જીવણ) સંતના પદો 'કટારી' નામથી ઓળખાય છે.

♦️ કલાપી “ખરા ઇલ્મી ખરા સૂરાં" કહી નરસિંહ-મીરાને બિરદાવે છે.

♦️ ડૉ. પિતાંબર દાસ - મીરાનું જન્મ નામ કઇંક અને મીરાં એનું ઉપનામ ગણાવે છે.

♦️ દલપતરામ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોને ત્યાં સરસ્વતીનું પિયર હોવાનું ગણાવે છે.

♦️ અનંતરાય રાવળ : નરસિંહ મહેતાની કવિતાને ગુજરાતી કાવ્યગંગાનું ગંગોત્રી શિખર ગણાવે છે.

♦️ બળવંતરાય ઠાકોર : મહાકાવ્યથી નાનું અને ખંડકાવ્યથી મોટું એવું જ કથાકાવ્ય તે આખ્યાન ગણાય.

♦️ ક.મા.મુનશી : વ્યાખ્યાનો 'વિમાન' છે.
♦️ પ્રેમાનંદ વિશે : "Most Gujarati Of All Gujarati Poets”
♦️ નરસિંહ વિશે : His taste is Often Loud and Vulgar.
♦️ દયારામ વિશે : મસ્ત પ્રણયી છે.

♦️ ન્હાનાલાલ : દયારામને બંસીબોલનો કવિ અને ગુજરાતની ગોપી ગણાવે છે, દયારામ ની ગરબીને ન કરમાય એવા વેરલા ફૂલ ગણાવે છે.

♦️ પ્રેમાનંદ વિશે : પ્રેમાનંદના વન વર્ણનો જંગલ ખાતાની જેવા છે.

♦️ પ્રેમાનંદ વિશે : ગુજરાતની નાની રંગભૂમિ પરનો વ્યાસ

♦️ નિરંજન ભગત : મીરાંબાઈ - ભક્તિ રસનો ફુવારો છે.
♦️પ્રેમાનંદની કવિતા અખંડલહેરી જ્યારે શામળની ખંડલહેરી છે.

♦️ કેશવ હર્ષદ ધ્રુવ : વસંતવિલાસ ચમક-ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય છે.

♦️નાકર : ’જે હોય કવિતા કુડી કવે, તેવું પાપ તેને શિર વસમે' આમ આખ્યાન સર્જનને પૂણ્ય પ્રવૃત્તિ ગણે છે, નાકર અને વિષ્ણુદાસે આખ્યાનો માટે ઓપપ્રબંઘ શબ્દ પ્રયોજયો છે.

♦️અખાની આગળ ભાષા નાચે છે.

♦️નરસિંહના પ્રભાતિયા તેની પાછલી વયનું સર્જન ગણી શકાય.
♦️નરસિંહ ઉજ્જવલ વાણીનો કવિ છે.

♦️'જાગને જાદવા કૃષ્ણ ગોવાળિય' પદ ગુજરાતી ભાષાનું ધરેણુ છે.
♦️હસતો કવિ - અખો , હસતો સંત કવિ - નરભેરામ.


Post a Comment

0 Comments