જીલ્લો : બોટાદ

જીલ્લો : બોટાદ
જીલ્લો : બોટાદ

→ કાઠિયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાડને જોડતો જિલ્લો એટલે બોટાદ જિલ્લો

→ આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે.

→ બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (ગેટ-વે-ઓફ કાઠિયાવાડ) ગણવામાં આવે છે.


લોકવાયકા

→ લોકવાયકા મુજબ, બોટાદની સ્થાપના કોઢના ઝાલા ક્ષત્રિયોએ કરી હતી, જેઓ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારના શાસકો હતા.

→ અન્ય લોકવાયકા મુજબ ભોજાભાઈ ખાચરે ઉતાવળી નદીના કિનારે બોટાદની સ્થાપના કરી હતી.


બોટાદનો અર્થ

→ બોટાદ શબ્દ એ 'બોટ' અને 'આદ' એમ બે શબ્દોમાંથી બનેલો છે. જેમાં 'બોટ' એટલે 'ગોખરું'.

→ ગોખરું એ જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ છે, જેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. જ્યારે 'આદ' શબ્દનો અર્થ 'સમૂહ' થાય છે.

→ બોટાદ એટલે એવી જમીન કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગોખરું જોવા મળે છે.


જીલ્લાની રચના

→ આ જિલ્લાની રચના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં થઈ હતી.

→ ૧૫ ઓગાષ્ટ, ૨૦૧૩ના રોજ અમદાવાદ અને ભાવનગર જીલ્લામાંથી બોટાદ જીલ્લાની રચના કરવામાં આવી હતી.

→ ભાવનગર જિલ્લાના બોટાદ અને ગઢડા તથા અમદાવાદ જિલ્લાના ભરવાળા અને રાણપુર તાલુકાનો સમાવેશ કરીને કરવામાં આવી હતી.


સ્થાન અને સીમા

→ પૂર્વ : ભાવનગર જીલ્લો
→ પશ્ચિમ : રાજકોટ જીલ્લો
→ ઉત્તર : સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લો
→ દક્ષિણ : અમરેલી જીલ્લો


ક્ષેત્રફળ

→ ૨૫૬૪ ચો.કિ.મી.

તાલુકાઓ

  1. બોટાદ
  2. ગઢડા
  3. બરવાળા
  4. રાણપુર

નદીઓ

→ સુકભાદર, ઘેલો, નીલકા, કાળુભાર, કેરી અને ગોમા


નદીકિનારે વસેલાં શહેર

→ ઉતાવળી નદીના કિનારે બોટાદ શહેર વસેલું છે.
→ રાણપુર સુકભાદર નદીના કિનારે વસેલું છે.
→ ગઢડા ઘેલો દીના કિનારે વસેલું છે.

→ ભીમનાથ નીલકા નદીના કિનારે વસેલું છે.


પાક

→ ઘઉં, જુવાર, બાજરી, કપાસ, જામફળ, મગફળી,ડાંગર, ડુંગળી,જામફળ, તલ વગેરે પાક થાય છે.

→ બોટાદ એ જામફળની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે. (જયારે પ્રથમ નંબરે અમદાવાદ અને બીજા નંબર ભાવનગર છે.)


ખનીજ

→ કેલ્સાઇટ નામની ખનીજ બોટાદ તાલુકાના સરવા ગામેથી મળી આવે છે.


ઉદ્યોગો

→ બોટાદ જિલ્લામાં ડાયમંડ પોલિશ કરવાનો ઉદ્યોગ (હીરા ઉદ્યોગ), બેરીંગ ઉદ્યોગ, કવોરી ઉદ્યોગ, ઉન-ખાદી ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યા છે.


સિંચાઈ યોજના
સિંચાઈ યોજના
ડેમ નદી તાલુકો
ભાડલા ડેમ સુખભાદર નદી રાણપુર
કાળુભાર ડેમ કાળુભાર નદી ગઢડા
ખાંભડા ડેમ ઉતાવળી નદી બરવાળા


રેલવે સ્ટેશન
→ બોટાદ, ભીમનાથ, જાળીલા રોડ, સાળંગપુર રોડ, રાણપુર વગેરે.


બોટાદ
→ કવિ બોટાદકરની જન્મભૂમિ છે. તેઓ સૌરાષ્ટ્રને 'સ્વર્ગ કુંજ સરખી અમ માતૃભૂમિ' તરીકે ઓળખાવે છે.

→ બોટાદના પાળિયાદમાં શિક્ષક પ્રેમશંકર દવે દ્વારા સ્થાપિત 'વિરાટેશ્વર મહાદેવ'નું મંદિર આવેલું છે.

→ પાળિયાદમાં ઉનડ બાપુનું ધાર્મિક સ્થળ આવેલું છે.

→ દર વર્ષે બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

→ અહીં શ્રી તખ્તસિંહજી જાહેર ગ્રંથાલય આવેલું છે.


ગઢડા
→ એક સમયે ગઢપુર નામથી ઓળખાતું ગઢડા ઘેલો નદીના કિનારે આવેલું છે.

→ અહીં શ્રીજી મહારાજ (સ્વામી સહજાનંદ) તેમના જીવનના છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન તેમના સેવક દાદા ખાચરને ત્યાં રહ્યા હતાં. અહીં દાદાખાચરના ઢોલિયા પર બેસી સ્વામીજીએ ઉપદેશ આપ્યો હતો.

→ નૂતન ગ્રામ વિદ્યાપીઠ તથા જે.પી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ ગઢડામાં આવેલી છે.


સ્વામિનારાયણ મંદિર, ગઢડા
→ આ મંદિરનું નિર્માણ ગઢડા ખાતે શ્રીજી મહારાજે (સ્વામી સહજાનંદ) કરાવ્યું હતું. આ વડતાલ ગાદી હસ્તકનું સ્વામિનારાયણ મંદિર છે.

→ આ મંદિરને 'ગોપીનાથજી મંદિર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ શ્રીજી મહારાજના સેવક દાદા ખાચર દ્વારા આ મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.


બરવાળા
→ નીલકા નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવનું મંદિર બરવાળા તાલુકામાં સ્થિત છે. આ મંદિરમાં ભીમે તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હોવાની લોકવાયકા છે.

→ બરવાળા તાલુકાના કુંડળ ખાતે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર આવેલ છે.


કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, સાળંગપુર
→ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે.

→ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત અક્ષરનિવાસી બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજની અંતિમવિધિ સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી.


રાણપુર
→ રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310માં ભાદર અને ગોમા નદી વચ્ચે કિલ્લો બાંધીને રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. આ રાણાજી ગોહિલનો કિલ્લો જોવાલાયક છે.

→ રાણપુર તાલુકામાં આવેલ 'વેજલકા' સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે. અહીંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.

→ સાહિત્યકાર કુમારપાળ દેસાઈનો તેમજ સમાજ સુધારક એવા પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ રાણપુર ખાતે થયો હતો.

→ ઝવેરચંદ મેઘાણી તથા મહાન પત્રકાર અમૃતલાલ શેઠની કર્મભૂમિ રાણપુર રહી છે.

→ રાજકોટનું પ્રસિદ્ધ હાલનું અખબાર 'ફૂલછાબ'ની શરૂઆત રાણપુર ખાતેથી કરવામાં આવી હતી.


સાહિત્ય ક્ષેત્ર
→ કવિ બોટાદકર 'સૌંદર્ય દર્શી' (જન્મ: બોટાદ)

→ મોહમ્મદ વલીભાઈ માંકડ (જન્મઃ પાળિયાદ)

→ ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ (જન્મઃ નિંગાળા)

→ કુમારપાળ બાલાભાઈ દેસાઈ (જન્મઃ રાણપુર)


સામાજિક ક્ષેત્ર
→ પૂર્ણિમાબેન મંગળદાસ પકવાસા (જન્મ: રાણપુર, ઉપનામ : ડાંગના દીદી)