Premchand | પ્રેમચંદ


પ્રેમચંદ

→ પ્રેમચંદનો જન્મ ૩૧ જુલાઇ ૧૮૮૦ના રોજ કાશી પાસે લમહી ગામમાં થયો હતો.

→ મૂળનામ : ધનપતરાય શ્રીવાસ્તવ

→ માતાનું નામ : આનંદદેવી

→ પિતાનું નામ : મુંશી અજાયબરાય

→ તેમના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસીથી થયો.

→ જીવનસાથી : શિવરાની દેવી

→ સંતાન : શ્રીપતરાય, અમૃતરાય અને કમલાદેવી

→ ઇ.સ. ૧૮૯૮માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. ઇ.સ.૧૯૧૦માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. ૪૦ વર્ષની ઉંમરમાં ૧૯૧૯માં બી.એ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઈન્સ્પેકટર પદ પર નિયુક્ત થયા. પરંતુ પાછળથી ગાંધીજીના કહેવાથી તેમણે નોકરી છોડી દીધી.

→ પ્રેમચંદનું જીવનચરિત્ર એમના પુત્ર અમૃત રાયે 'પ્રેમચંદ: કલમ કા સિપાહી' શીર્ષકથી લખેલ છે.

→ પ્રેમચંદ આધુનિક હિન્દી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ તરીકે ઓળખાય છે. તેમના સાહિત્યિક જીવનનો પ્રારંભ ઇ.સ. ૧૯૦૧માં થયો. તેમણે રફતાર-ઇ-જમાના ઉર્દુ સામયિકમાં માસિક કોલમ લખીને પણ યોગદાન આપ્યું હતું.

→ તેમણે વિવિધ નવલકથાઓ લખી જેમાં ‘રૂઠી રાની’ એક લોકપ્રિય નવલકથા હતી. ત્યારબાદ ‘કૃષ્ણ’ , ‘વરદાન’ , ‘ પ્રતિજ્ઞા’ પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ ‘સેવાસદન’(૧૯૧૬), પ્રેમાશ્રમ( ૧૯૧૮થી ૧૯૨૨માં), નિર્મલા તથા ગોદાન (૧૯૨૭માં) પ્રકાશિત થઈ હતી. તેમની અધૂરી નવલકથા’ મંગલસૂત્ર’ છે.

→ તેમની બધી વાર્તાઓ ‘માનસરોવર ભાગ ૧ થી ૮’ સ્વરૂપે પ્રગટ થયો.

→ ‘સંગ્રામ’(૧૯૨૩), ‘કાબિલ' (૧૯૨૪) અને ‘પ્રેમ કી વેરી’ તેમના નાટક છે.

→ ૮ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ અવસાન પામ્યા હતા.





Post a Comment

0 Comments